August 28th 2022

પવિત્રરાહ પ્રભુની

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-34.png છે
.             પવિત્રરાહ પ્રભુની

તાઃ૨૮/૮/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર અદભુતકૃપા પરમાત્માની,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
અનેકદેહથી પરમાત્માએ જન્મ લીધા ભારતમાં,એ માનવદેહને પ્રેરણા કરી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુની કૃપા કહેવાય,એ મળેલદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જે જીવના દેહને સમય સાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,એજ જીવને આવનજાવન આપી જાય
પવિત્રજ્યોત હિંદુધર્મની પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય 
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળેલ માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
સમયે પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે માનવદેહને પવિત્રરાહ આપીજાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જ્ન્મી જાય
પવિત્રકૃપા મળે માનવદેહ પર જે અવનીપર જીવને,નિરાધારદેહથી બચાવી જાય
.....એજ પવિત્રકૃપા મળે જીવના મળે માનવદેહને,જે સમયની સાથે જીવાડી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment