August 29th 2022
. .મળે શ્રધ્ધાનો સંગાથ
તાઃ૨૯/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં પભુનીભક્તિ કરી જાય
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ અનેકનિરાધારદેહથી બચાવીજાય
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત છે,જે કુદરતની પવિત્રકૃપાએ અનુભવ થાય
માનવદેહ મળે જીવને એ ભગવાનની,પાવનકૃપા કહેવાય જે જીવને સમજાય
અનેકદેહનોસંબંધ અવનીપર સમયે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
માનવદેહ મળે જીવને જે ગતજન્મના મળેલદેહના,થઈ ગયેલકર્મથી મળીજાય
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ છે,જેમાં ભગવાન ભારતદેશનેજ પવિત્રકૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરાય
જીવને અવનીપરના જન્મમરણથી મુક્તિમળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાનો સંગાથમળે
....ધરતીપર જન્મમરણનો સંબંધજીવને,જે અવનીપર આગમનવિદાયથી મળી જાય.
*******************************************************************
No comments yet.