October 12th 2022

પવિત્ર પ્રેમનીરાહ મળે

  Hindu Dharm | હિંદુ ધર્મ વિશે | ધાર્મિક | સંસ્કૃતિ | હિન્દુ ધર્મ | Hindu Religion | Hindu Dharm in Gujarati
.            પવિત્ર પ્રેમનીરાહ મળે

તાઃ૧૨/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન છે,જે ભારતનીભુમીને પવિત્રકરવા જન્મીજાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ જન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને પ્રભુકૃપાએ કર્મ કરાવીજાય
જગતમાં માનવદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાપુંજા થાય
અવનીપર માનવદેહ મળે જીવને,પરમાત્માની પાવનકૃપાએ હિંદુધર્મથી જીવાય
મળે ભગવાનની પવિત્રકૃપા માનવદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભાવનાથી પુંજા કરતા,માનવદેહને જીવનમાં સુખ મળી જાય
પરમાત્માએ લીધેલ દેહની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપા મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ નાઆશાઅપેક્ષા અડી જાય,એ પવિત્રકૃપા થાય
જીવનેજગતમાં જન્મમરણનોસંબંધછે,જે સમયેજીવને આગમનવિદાયથી અનુભવાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$