October 15th 2022

ભક્તિરાહ પ્રભુની

***લક્ષ્મી માં ઘર માં પ્રવેશ કરતા પહેલા આપે છે આ 5 સંકેત, ભૂલ થી પણ ના કરો નજરઅંદાજ નહિ તો.... - GujjuClub***
.             ભક્તિરાહ પ્રભુની

તાઃ૧૫/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે જીવના મળેલદેહને પાવનરાહે જીવાડી જાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એ જીવના ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
જગતપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે સમયે જગતમાં આગમનવિદાય દઈજાય
અનેકદેહથી પરમાત્માનુ આગમન ભારતમાં,જેમની ઘર અને મંદીરમા પુંજા કરાય
અનેક પવિત્ર ભક્તોની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ દેહને ધાર્મીકરાહે લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
મળેલ માનવદેહને પ્રેરણા મળે પ્રભુની,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય,જે જીવને જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.  
************************************************************************