રઘુવીર રામ
રઘુવીર રામ
તાઃ૫/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુવીર રામની ભક્તિ છે કામની
જીંદગીની છે કમાણી મળે જીવને શાંન્તિ
…….રઘુવીર રામની ભક્તિ
મનની મુરાદોમાં વ્યાધી અપાર છે
વળગે એ જીવને છે સૌને એ જાણ છે
માગી મળેનહીં જ્યોત જલી જાયછે
સૃષ્ટિના સહવાસમાં જીવન ઝુમી જાય છે
…….રઘુવીર રામની ભક્તિ
સાચી શ્રધ્ધામાં ભક્તિ લઇ જાય છે
નામથી જગમાં પરચા અપાર છે
મુક્તિના માર્ગમાં રામનામ અણસાર છે
જાગી જો જાય જીવ મુક્તિ પળવાર છે
…….રઘુવીર રામની ભક્તિ
જીવને જગતમાં પ્રેમનો સહવાસ છે
રાઘવની ભક્તિ એ તેનો આધાર છે
જલારામની ભક્તિ એ તેનુ દ્રષ્ટાંત છે
વળગીને ચાલસો તો જીવનો ઉધ્ધાર છે
…….રઘુવીર રામની ભક્તિ
###########################################