September 10th 2009

પતિપત્નીનો પ્રેમ

                         પતિપત્નીનો પ્રેમ

તાઃ૯/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિને  માની પરમેશ્વર,મેં ઘરમાં પગલુ માંડ્યું
મળીગયા માનસન્માન,ને જીવનઉજ્વળ લાગ્યું
                        ………પતિને  માની પરમેશ્વર.
મંડપમાં જ્યાં પગલાં માંડ્યા,સંસારની પકડી કેડી
મળેલ સંસ્કારને સાચવી, માબાપને ઘેરથી નીકળી
મોટાને સન્માન જ આપવું, ને નાંનાને દેવુ વ્હાલ
મળી જાય વર્ષાપ્રેમની,ને જીવનપણ ઉજ્વળથાય
                          …….પતિને  માની પરમેશ્વર.
મળી માબાપની પ્રીત ન્યારી,જે પકડી રાખી આજ
લાગણીના ઉભરાને રોકતી, જીવન સાચવવા કાજ
માન મળે ને પ્રેમ પણ મળે,જ્યાં હદમાં છે હરખાય
પતિ પ્રેમને પામી લેતી,જ્યાં થાકી આવે પળવાર
                         ……..પતિને  માની પરમેશ્વર.
જીવના બંધન જગમાં  મળે,ને માનવ દેહ લેવાય
સાચી સેવા પ્રીતમાં જ છે,જે અનુસરે મળી જાય
વંદન સાચાસંતને શોભે,ને ઘરમાંપ્રીત પતિદેવને
માન સન્માન આવે દોડી,જ્યાં સંસ્કાર મળી જાય
                         ………પતિને  માની પરમેશ્વર.

*)*)*)*)*)*)*)*)*(*(*(*(*(*(*(*)*)*)*)*)*)*)*(*(*(*(*(*(*

September 9th 2009

દ્રષ્ટિની અસર

                     દ્રષ્ટિની અસર

તાઃ૮/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેવી દ્રષ્ટિ જગમાં,કોઇથી ના કહેવાય
પડે દેહ પરએ જ્યારે,અસર થતાં વરતાય
                       …….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સંતાનેપડે દ્રષ્ટિ માબાપની,ઉજ્વળ જીવનથાય
મનમહેનત ને ધ્યેયસાચવતા,સિધ્ધિ મળીજાય
મુંઝવણ ભાગે બારણેથી,ના પાછુ વાળી જોવાય
સદા શાંન્તિનો સાથ રહે,ને મનમાં આનંદ થાય
                      ………કોની કેવી દ્રષ્ટિ જગમાં.
સાચા સંતની પડે જો દ્રષ્ટિ,જીવને શાંન્તિ થાય
આત્માના કલ્યાણની કેડી દેહને મળતી જ જાય
સંસારની સરગમમાં પણ,મળે ભક્તિના સોપાન
માતાપિતાને સંતની દ્રષ્ટિએ,જીવને શાંન્તિથાય
                       …….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
મેલીશક્તિની પડે દ્રષ્ટિ,ત્યાં જીવને મુંઝવણ થાય
તકલીફો લટકીને ચાલે,માર્ગે વ્યાધીઓ મળીજાય
એકને થોડી દુરકરી ત્યાં,બીજી મોટીજ આવી જાય
ડગલેપગલે મેલીદ્રષ્ટિ,જીવનમાં નિરાશા દેતીજાય
                     ……….કોની કેવી દ્રષ્ટિ જગમાં.
ભણતર ભક્તિને ભાવના,જીવને મળી જો જાય
આધીવ્યાધી ભાગે દુર,નાકદી જીવનમાં દેખાય
પરમાત્માની જ્યાં પડે દ્રષ્ટિ,જીવ સ્વર્ગે જ જાય
જન્મમરણથી મુક્તિમળતાં,જીવનો ઉધ્ધાર થાય
                        ……..કોની કેવી દ્રષ્ટિ જગમાં.

((((((((((((((()))))))))))))))))(((((((((((((())))))))))))))

September 7th 2009

અદભુત ઔષધ ‘શિવામ્બુ’

મારા વ્હાલા વાંચક મિત્રોને Labour Day ની અમુલ્ય ભેંટ.

તાઃ૭/૯/૨૦૦૯                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

         અદભુત ઔષધ

                                 ‘ શિવામ્બુ’

      (મારા પોતાનો જ અનુભવ છે જે હુ વર્ષોથી કરુ છુ.)

             આણંદમાં એક જ  વ્યવસાયમાં સંકડાયેલ શ્રી મહેન્દ્રભાઇ શાહ જે
ચાર્ટડ  એકાઉન્ટન્ટ હતા તેમની ઓફીસમાં આમ તો ઘણીવાર   N.D.D.B.
ના કામ અંગે જવાનુ થતુ હતું.૧૯૮૨ના માર્ચ માસની ૧૭મી તારીખે તેમને
ત્યાં ગયો ત્યારે કામ પત્યા પછી મને કહે પ્રદીપ આ શિવામ્બુના પ્રયોગનુ
મેગેઝીન છે તુ વાંચજે  ધણુ ઉપયોગી જાણવાનુ મળશે.આપણા વડાપ્રધાન
શ્રી મોરારજીભાઇ દેસાઇ આ પ્રયોગ કરે છે.આ મેગેઝીન વડોદરામાં શિવામ્બુ
કાર્યાલય છે ત્યાંથી આવે છે. વાંચીને પછી પાછુ આપજે તો બીજાને પણ
આપી શકાય.
              આ મેગેઝીન વાંચ્યા પછી મોરારજી દેસાઇને N.D.D.B. માં
પ્રથમ વખતે  જોયેલા તે યાદ આવ્યુ.લાલ ટામેટા જેવા ઉંમરને પાછળ
મુકીને આવ્યા હોય તેવા દેખાતા હતા.ચોપડી વાંચ્યા પછી મેં તે પ્રયોગ
શરુ કર્યો. આને ગામઠી ભાષામાં પેશાબનો ઉપયોગ પણ કહી શકાય.

 * સવારનો ચાર વાગ્યા પછીનો પહેલો પેશાબ શરુઆતનો થોડો જવા
દેવાનો ત્યારબાદ એક ગ્લાસમાં લેવાનો અને છેલ્લો થોડો જવા દેવાનો
અને તે ગ્લાસ પી જવાનો અને ત્યારબાદ દાતણ કરવાનુ. આ પ્રયોગથી
પેટ સાફ થશે,મોંમાં દાંતનો કોઇ જ રોગ થશે નહીં.શરીરની અંદર રહેલ
પ્રવાહી તકલીફોનુ નિરાકરણ પણ થઇ જશે.
૧૯૯૨ની દીવાળીના દીવસે હાથમાં કોઠી લઇ બાળકોને બતાવવા જતા
કોઠી હાથમાં જ ફુટી ગઇ ચામડીના બે પડ બળી ગયા.બધુ જ પડતુ મુકી
હાથ સહીમાં બોળી દીધા.થોડી રાહત થતાં બર્નોલ લગાવી દીધુ. બીજે
દીવસે ડીક્ટરને ત્યાં પણ ગયો.ત્રીજા દીવસથી દરરોજ સવારસાંજ તેની
પર પેશાબ લગાડવાનો શરુ કર્યો.મહીના પછી ડૉકટરને પણ આશ્ચર્ય થયુ.
કોઇ પ્રકારનો  ડાઘ કે નિશાની પણ હાથમાં બળ્યાની ન હતી.
      અત્યારે અમેરીકામાં પણ દરરોજ સવારે આ પ્રયોગ ચાલુ જ છે.અહીં
આવ્યા  ત્યારે બે વર્ષ લોકોના કહેવા પ્રમાણે વિટામીનની ગોળીઓએ ખાધી
પણ પછી સંત પુ.જલારામ બાપા અને પુ.સાંઇબાબા પર વિશ્વાસ રાખી મારો
જુનો પેશાબનો પ્રયોગ શરુ કરતાં કોઇ દવા,વિટામીન કે તાકાતની ગોળીઓ
ખાવાની કે પૈસા બગાડવાની જરુર જ પડતી નથી.કોઇ ડોક્ટર કે કોઇ વિમાની
પણ જરુર નથી અને લેતો પણ નથી.
પેશાબનો ઉપયોગ શરીર પર થયેલ કોઇ પણ ઘા પર,મચ્છર કરડે કે જીવાત
તે પર પણ લગાડવાથી રાહત થાય છે અને સૌથી મોટો ફાયદો તેની કોઇ
આડી અસર નથી કે નથી કોઇ એક્સ્પાયર ડેટ.
      પેશાબના પ્રયોગમાં જેમ યોગમાં શ્રધ્ધા રાખીને કરતાં યોગ્ય પરીણામ
 મળે તેમ આ પ્રયોગમાં મળે જ છે.

નોંધઃઉપરોક્ત અનુભવ મારો પોતાનો છે અને તે હુ જેમ ભક્તિમાં શ્રધ્ધા
          અને વિશ્વાસ રાખુ છુ તેમ જ શિવામ્બુ પ્રયોગમાં પણ રાખુ છુ.

કોઇપણ વાંચકને આ અંગે વધારે જાણવું હોય તો હાલ અમદાવાદના
લેખક શ્રી જુગલકિશોરભાઇએ   aarogyam111.com   વેબસાઇટ પર
શિવામ્બુ  કાર્યાલયના  આ મેગેઝીન  વાંચકો માટે મુક્યા છે  જે ઘણાજ
ઉપયોગી થશે.  શિવામ્બુ કાર્યાલય વડોદરામાં આવેલ છે.

સૌ વાંચક મિત્રોને હ્યુસ્ટનથી  પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ. 
###################################

September 6th 2009

ભવિષ્યની ભાળ

                  ભવિષ્યની ભાળ

તાઃ૬/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જ્યારે દેહ મળે, જન્મ મળ્યો કહેવાય
આંગણે આવી ખુશી રહે,માબાપ ત્યાં હરખાય

સંતાન માયા જગમાં એવી,સૌને વળગીજાય
મોહપ્રેમની એવી દ્રષ્ટિ,આનંદ જીવે દેતીજાય

કરુણાની જ્યાં કેડી મળે,જે પ્રભુ કૃપા કહેવાય
આનંદનો સંકેતમળે,ને ભવિષ્ય ઉજ્વળ થાય

પ્રેમઅનેરો મળતો સૌનો,બાળપણ વિદાયથાય
જુવાનીના જોશે આવી,ભણતર પણ મળીજાય

નાજુક દેહના બંધન મુકી, જન્મ સફળ ને કાજ
મહેનતમનથી માણીલીધી,સોપાનચઢવાઆજ

આવી જ્યારે સમજણમને,પારખી લીધોમેં કાળ
પવિત્રપાવન જીવનદીસે,એજ ભવિષ્યની ભાળ

********************************************

September 6th 2009

કાગળ મળ્યો

                                કાગળ મળ્યો.

તાઃ૫/૯/૨૦૦૯                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

       ગોમતીના દરબારનો દીકરો ભણતર માટે અમેરીકા આવવાની
લાયકાત મેળવતાં અહીં આવી ગયો. ભણતર ચાલુ કર્યુ  એકાદ વર્ષ
થતાં માબાપને  લોકોના કહેવા પ્રમાણે અમેરીકામાં  છોકરો રહે તેવા
વિચારો આવતાં દરેક  કાગળમાં તેને ત્યાં રહેવા માટે વધારે લખે..
આજે દીકરાનો કાગળ આવ્યો………

   બાપુજી,,,,

ગ્રીન કાર્ડની ગભરામણમાં મેં તો પરણી લીધુ છે અહીં
હીન્દુ છોકરી ના મળતા મેક્સીકનને કૉર્ટમાંપરણ્યો જઇ 
                                ……..ગ્રીન કાર્ડની ગભરામણમાં.
સિંદુર કે ના કંકુ ચોખા કે ના જરુર પડી કોઇ પંડીતની
ચોપડી પકડી હાથમાં ને કહી દીધુ આ મારી બૈરી થઇ
ના આશિર્વાદની જરુરપડી કે ના ઓઢણી કે પટોળાની
જ્યારે ટાય બાંધી ગળે મેં લાગે ગળુ મારું પકડાઇ ગયું
ના છટકશે  જીભ મારી કે ના કોઇ રહેશે જીવનમાં બારી
                              ……….ગ્રીન કાર્ડની ગભરામણમાં.
કાર ચલાવતો થયો ત્યારે મને લાગ્યુ  હુ થયો વિદેશી
દેશીથી દુર રહેતો થયો ત્યારથી આવી જ્યારથી બૈરી
ઉઠે સવારે દસવાગે ને ન્હાય સાંજે આવેનોકરી પરથી
માળા સાંજે હું ફેરવું ત્યાં તો આવે મીટનુ ખાણુ લઇને
ગંધાય ઘરમાં તાજુમાંસ ના આરો કોઇ એ ખાયત્યારે
                                ……….ગ્રીન કાર્ડની ગભરામણમાં.

+++++++++++++++++++++++++++++++++++++

September 6th 2009

પ્યારી સુગંધ

                           પ્યારી સુગંધ

તાઃ૫/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોગરાની માયા મને ને ગુલાબની પાંદડીઓથી
સુગંધનીપ્રસરે લહેર જગમાં જ્યાંખીલે તાજાફુલ 
                                            ……મોગરાની માયા મને.
કુદરતના આ સંસારમાં માનવ મન સદા મલકે
પામર જીવને મહેર મળે જ્યાં પ્રેમના ખીલેપુષ્પ
                                            …….મોગરાની માયા મને.
મજધાર મહી નામન લલચાયે કે નામોહ વળગે
પ્રેમ પ્રસરે જગમાં એવો નામાગણી મનમાં ઝંખે
                                           …….મોગરાની માયા મને.
શણગાર સજ્યા મેં દ્વારે એવા પરમપિતા પધારે
મનમાંરાખી પ્રેમ જલાસાંઇથી કરુહુ ભક્તિ વધારે
                                         ……..મોગરાની માયા મને.
મોગરાની મધુર મહેંક એવી ભક્તિની શીતળતા
ગુલાબની પાંદડી પાવન ઉજ્વળઘર બને મંદીર
                                        ……. મોગરાની માયા મને.
કુદરતની છે કરુણા નિરાળી જીવને દે ઉજ્વળતા
પ્રકૃતિનો પ્રેમ મળે જીવને જ્યાં નાશ્વંત દેહ નમે
                                        ……. મોગરાની માયા મને.

================================

September 4th 2009

આરતીની અર્ચના.

                     આરતીની અર્ચના

તાઃ૩/૯/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંગળ આરતી પ્રેમથી કરતાં,જીવને આનંદ થાય 
દીવા પ્રગટે પ્રેમથી ઘરમાં,ત્યાં પરમાત્મા હરખાય
                               ………મંગળ આરતી પ્રેમથી.
સવાર સાંજની પવિત્ર વેળા,શાંન્તિ સદા લહેરાય
પુંજન અર્ચન ભાવથી કરતાં,જીવ સદાય મલકાય
માગણી પ્રભુથી પ્રેમની કરતાં,માનવમન હરખાય
સ્નેહ પ્રેમના વાદળ ઉભરાતા,જીવન ઉજ્વળ થાય
                                ……..મંગળ આરતી પ્રેમથી.
દીધો માનવદેહ આ જીવને,કરુણા પ્રભુની કહેવાય
પળપળને પારખવાને કાજે,ભજન કીર્તનો લહેરાય 
માણસાઇમાં મતીછે ન્યારી,જે સમજીચાલે પળવાર
મુક્તિનાદ્વાર પ્રભુજ ખોલે,જ્યાં પ્રેમથી આરતીથાય
                                ……..મંગળ આરતી પ્રેમથી.
આરતી સાથે વંદન કરતાં,દેહ પ્રભુ ચરણમાં જાય
દેહને ભુમીનો સ્પર્શમળે,પ્રભુની કરુણા વરસી જાય
અંત દેહનોઉજ્વળ છે દીસે,જ્યાં જલાસાંઇ હરખાય
પ્રભુપ્રેમને સંતનોસ્નેહ,આરતીની અર્ચનાથીલહેરાય
                               …….. મંગળ આરતી પ્રેમથી.

#################################

September 3rd 2009

આંગળી ચીંધી

                      આંગળી ચીંધી

તાઃ૨/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનડુ મારું કોમળ જ્યાં ઘોડીયામાં આલા લઉ
દુધની ટોટી મોમાં ત્યાં માતાનીય મમતા લઉ
                            ………મનડુ મારું કોમળ જ્યાં.
આંગળી પકડુપિતાની જ્યાં ડગલાં ચાલવા જઉ
એક એક ચાલતા પગલુ મનડે પણ આનંદ લઉ
જીંદગીની સોપાન સીડીએ જ્યાં આંગળીચીંધાય
પ્રેમ મળતા માતાપિતાનો મારુહૈયુ હરખાઇ જાય
                              ………મનડુ મારું કોમળ જ્યાં.
બાલમંદીરમા ડોકીયુ કરતાં, મનડુ ખુબ ભડકાય
માસ્તરની એક મહેંક મળતાં,ડગલાં માંડ્યા ચાર
આંગળી ચીંધી ઉજ્વળતાએ,મહેનત માણી લીધી
બુધ્ધીનો ભંડાર મળ્યાનો,હૈયે આનંદથાય અપાર
                              ………મનડુ મારું કોમળ જ્યાં.
જુવાનીના જોશને બંધનમાં લીધા લાવીને લગામ
ઉભરો અતિ જ્યાંઆવે,શ્રધ્ધા વિશ્વાસથી એ દબાય
મળે આશીર્વાદ વડીલોના,ચીંધે આંગળીસીધી રાહે
આવેઆનંદ જીવનમાં જ્યાંભણતર જુવાનીએ લાગે
                               ……..મનડુ મારું કોમળ જ્યાં.
ભણતર જીવનમાં ઉમંગ લાવે ને મહેનત જુવાનીને
મળે સંસ્કારનેસિંચન પ્રેમના,ત્યાં ભક્તિએ મન લાગે
સંતની દ્રષ્ટિ પડતાં સંસારે,ચીંધે આંગળી પ્રભુનાદ્વારે
મુક્તિ સાથે જીવને ચાલે, ના અંતે દુઃખડા મળનારા
                                 ……..મનડુ મારું કોમળ જ્યાં.

#####################################

September 2nd 2009

દેહનુ અપમાન

                   દેહનુ અપમાન

તાઃ૧/૯/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારીથી ભડકીનેએ ચાલે,ને નારીથી દુર જ ભાગે
આવે અવનીપર નારીથી,તોય નારીને ના સમજે
એવા ભગવુ ધારી જ ભાગે, નારીની કાયાને જોતા
અવળી આરીત દેખાવની,છે નારી દેહનુ અપમાન
                                ………. નારીથી ભડકીનેએ.
મળતી માણસાઇ પ્રીતમાં,દેહના ભુલાય છે ભાન
કોની કેવી ભક્તિ પ્યારી,ના સાધુતામાં સમજાય
નારીને ના નમન કરે,તોય મંદીરમાં નારી શોભે
મુર્તિ માતાજીની રાખીને,એ નારીથી જ દુર ભાગે
                                  ………નારીથી ભડકીનેએ.
મળે જ્યાં માનવ દેહ, ત્યાં માડીને સન્માન મળે
કુટુંબકબીલે શોભતી,ઉજ્વળ જીવન સંતાને દેતી
પિતાપુત્રની આ રીત જગમાં માતાથી જ દેખાય
આગળ ચાલે છે જગમાંએ,ને દ્વારે પાવન દેખાય
                                 ………નારીથી ભડકીનેએ.
પ્રાણ મુકે રાધામાં એ,જગમાં નારીદેહ છે કહેવાય
કપડાં કાયમ સાધુ બદલાવે,તોય નારીથીએભડકે
સમજ માનવની ક્યાંની, જે ભગવે બદલાઇ જાય
પરમાત્માની દ્રષ્ટિ છે એક,ના નર કે નારીમાં ભેદ
                                 ……..નારીથી ભડકીનેએ.

++++++++++++++++++++++++++++++++++++++

September 2nd 2009

નિરાળી શક્તિ

                   નિરાળી શક્તિ

તાઃ૧/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી, જીવને શાંન્તિ દે
આધીવ્યાધી ભાગે દુર,જીવ સદા રહે ચકચુર
                              ……..ભક્તિની શક્તિ છે.
માયામોહ તો ભાગે દુર,ના રહે જીવે કોઇ ભુખ
પરમાત્માનો પામીને પ્રેમ,રહે જીવન ઉજ્વળ
                              ……..ભક્તિની શક્તિ છે. 
કુદરતની કરુણા પામી,જ્યાં જીવે મહેર આવી
પ્રેમ જીવને પામીલેતા,ના કહેણ કોઇના રહેતા
                              ……..ભક્તિની શક્તિ છે. 
નાશવંત દેહની માયા, ભક્તિએ જ દુર ભાગે
રામનામની માળા જપતા,જીવે આનંદ આવે
                              ……..ભક્તિની શક્તિ છે.
મળતી કાયાનીમાયા,જગમાં જીવે વળગીરહે 
મુક્તિનાદ્વાર ખુલે,ભક્તિની એ નિરાળી શક્તિ 
                              ……..ભક્તિની શક્તિ છે.
પડતી માયાની દ્રષ્ટિ,ત્યાં કાયા નબળી લાગે
ભાગે માયા છોડી દેહને,જ્યાં ભક્તિ હાલે સામે
                              ……..ભક્તિની શક્તિ છે.

===============================

« Previous PageNext Page »