February 21st 2010

હરાવી દીધી

                       હરાવી દીધી

તાઃ૨૧/૨/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી મારી અહીં તહીં જાય છે,
                     ના મળે દેહને કોઇ મુકામ;
વાત વાતમાં અહંમ આવે દોડી,
                      જે જીવનને જકડાઇ જાય.
                       ………..મતી મારી અહીં તહીં જાય.
સાચી રાહ જીવનની શોધવા એ,
                    ભટકે ચારે દીશાઓ હરવાર;
મળતાં મળતાં એ છટકી જાય,
                   જ્યાં મને અહંમ આવતો હોય.
                        ……….મતી મારી અહીં તહીં જાય.
સમય પકડવાની ના સમજ,
                    તોય નિરખવા ઉંચા સોપાન;
એક ડગલુ માંડવા માટે મારે,
                    સહારો શોધવા જવું દ્વારે દ્વાર.
                      …………મતી મારી અહીં તહીં જાય.
મતીને ના ભઇ ઓળખ કોઇ,
                    જ્યાં ત્યાં ભટકી ચાલી જાય;
કુદરતની આ અજબલીલા,
                   જગતમાં જીવને હરાવી જાય.
                         ……….મતી મારી અહીં તહીં જાય.
પકડી કેડી મહેનતની સાચી,
                 સમયે સમયે ધીમે પકડી લીધી;
આવી હૈયામાં જ્યાં પ્રભુપ્રીત,
                 માનવી જીંદગી મેં હરાવી દીધી.
                         ……….મતી મારી અહીં તહીં જાય.

==================================

February 20th 2010

શીતળ સંબંધ

                         શીતળ સંબંધ

તાઃ૨૦/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની  લહેર માણવા,મિત્રો બેઠા છે સૌ સંગે
ના હિન્દુ,ના મુસ્લીમ,ના પારસી,કે ના ખ્રિસ્તી આજે
દેખાય છે દેહ એક સરખા,ના કોઇ અલગ અહીં લાગે
મનમાં પેઠી સમજ ઝગડવા,ત્યાં બુધ્ધિ જ દુર ભાગે

મળતાદેહ અવનીએ જીવને,ત્યાં બાળક બનીને રાજે
નિર્દોષ પ્રેમાળ સ્નેહ પામતા,તેનેજીવન ઉજ્વળલાગે
રામ રહીમ ઇશુ કે અલ્લાહ,નામ અલગ તેને નાલાગે
શીશનમાવી અર્ચનાકરતાં,મંગળ કૃપાળુ જીવન માગે

પરમાત્માની છે એક જ દ્રષ્ટિ,તેમાં ભેદભાવ ના આવે
ભાવનાસાચી આગળઆવે,નામંદીર,મસ્જીદ,ચર્ચ નામે
દેહની સાચી શ્રધ્ધા જેમાં,ત્યાં દેહ મનથી મુક્તિ માગે
સ્વીકારી પ્રાર્થના સાચી ત્યારે,મૃત્યુએ પ્રભુ લેવા આવે

મળજો માયા પરમાત્માની,જે ના ભેદભાવ કોઇ લાવે
ધર્મ અધર્મના ના વાડા દીસે,કે ના ભેદભાવની નહેર
જીવનાસંબંધ અવિનાશીથી,જેની જીવપર થાય મહેર
સાંકળતુટે જ્યાં ભેદભાવની,સૌનો સાથ જ લાવે લહેર

%%%%%%%%%%%%%%%%%%%%%

February 20th 2010

રટણની અસર

                         રટણની અસર

તાઃ૨૦/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,મને મળી ગયા જલારામ
વીરબાઇ સંગે સાચીભક્તિ કરતાં,હરાવ્યા પ્રભુરામ
                       ………રામનામનું રટણ કરતાં.
શેરડીગામનું રટણથતાં,મને મળીગયા સાંઇબાબા
ભેદભાવની ચિંતા છોડાવા,મળી ગયા મને બાબા
                       ………રામનામનું રટણ કરતાં.
મહેનત મહેનત રટણ રાખતાં,મળી ગયા સોપાન
ખંતરાખી તનમનથી કરતાં,જગે દીઠા મેં ઘરબાર
                        ……..રામનામનું રટણ કરતાં.
ભક્તિ ભક્તિનું રટણરાખતાં,મને મળી કૃપા અપાર
કરતાં સાચી મનથી રોજ,પાવન લાગે ઘરના મોભ
                        ………રામનામનું રટણ કરતાં.
કામ કામનુ રટણ કરતાં,મળી ગયા મને સારા કામ
મહેનતસંગે સમય સાચવતાં,મેળવી લીધા સન્માન
                        ………રામનામનું રટણ કરતાં.
જન્મ મરણનું રટણ કરતાં,મળશે પ્રભુ કૃપાનો સંકેત
ભક્તિસાચી તોડે બંધનદેહના,મળશે મુક્તિનો સંદેશ
                        ………રામનામનું રટણ કરતાં.

#############################

February 19th 2010

જીવનું કલ્યાણ

                            જીવનું કલ્યાણ

તાઃ૧૯/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને,ત્યાં પ્રભુ કૃપા મળી જાય
આગમન અવનીપરનું માનવીનું,ત્યાં સાર્થક થઇ જાય
                         ………ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
જન્મે જીવના પાવન કર્મે,જીવનું કલ્યાણ થતું જ જાય
મળીજાય પરમાત્માનો પ્રેમ,જ્યાં સાચા મનથી પુંજાય
સુર્યદેવનો  સહવાસ મળતાં જ,દેહનો દિવસ શરૂ થાય
મનથી પુંજનઅર્ચન કરતાં,દેહેજીવન પવિત્ર થતું જાય
                        ………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
દેહનાબંધન જે જીવનેછે,જે ક્યારે ને ક્યાં એમળી જાય
માનવજીવન સાર્થક કરવા,પરમાત્માની કૃપા કહેવાય
આવી અવનીએ સત્કર્મ સંગાથ,ને પવિત્રપ્રેમ વહેવાય
જીવનેકલ્યાણનો માર્ગદીસે,જે પકડતાં ઉધ્ધાર થઇજાય
                          ……….ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
ટેકા દેહને મળે અનેક,કયો કેવો તે મનથી ના સમજાય
અનુભવનીસાંકળ પકડીચાલતાં,નાતકલીફ કોઇ ભટકાય
સંતનો લેતાં સહારો જીવે,ભક્તિ એ આંગળી ચીંધી જાય
કેવી ભક્તિપવિત્ર ને કેવીદેખાવની,તેઅનુભવે સમજાય
                          ………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.

================================

February 18th 2010

મોગરાના ફુલ

                            મોગરાના ફુલ

તાઃ૧૮/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેંક જીવનમાં મળે જગે,ત્યાં અનંત આનંદ થઇ જાય
મોગરાના ફુલની મહેંક મળતાં,દેહને શાંન્તિ મળી જાય
                           ……..મહેંક જીવનમાં મળે જગે.
મનને શાંન્તિ દેહને શાંન્તિ,ને ઘર આખુંય મહેંકી જાય
પરમાત્માની એક લહેર મળે,ને સાચીભક્તિ મળી જાય
આવે જલાબાપાના રામ,જે દેહનોજન્મ પાવન કરીજાય
શુધ્ધતાનો સહવાસમળે,જીવની નાકોઇ અપેક્ષારહીજાય
                        ………..મહેંક જીવનમાં મળે જગે.
શ્વાસે શ્વાસે સધ્ધરતા મળે,જ્યાં આંગણુંય પાવન થાય
ના રહે અપેક્ષા ના મોહ માયા,કે ના દેખાવનો કોઇ પ્રેમ
ભક્તિનોસંગ  પાવનલાગે,જ્યાં ફુલનીસુગંધ પ્રસરીજાય
મોગરાના ફુલની સુગંધ ન્યારી,જે મોહ માયા તોડી જાય
                        …………મહેંક જીવનમાં મળે જગે.

+++++++++++++++++++++++++++++++++++

February 17th 2010

પ્રેમની કસોટી

                       પ્રેમની કસોટી

તાઃ૧૭/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમ એ જીવ સંગે,જે મુક્તિ એ લઇ જાય
સાચીભક્તિ કરતાં જગમાં,કસોટી ઘણી જ  થાય
                      ……….ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
સરળ સાંકળ જીંદગીની, જે આનંદે જીવી જવાય
આવી જાય જ્યાં પ્રેમની ખીલી,સુખ  રોકાઇ જાય
મંદમંદઆવે જ્યાંદીલમાં,ત્યાં સમજણ ચાલીજાય
સમજે ત્યારે મનથી,આ પ્રેમ દેખાવનો જ કહેવાય
                        ……..ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
આનંદની લહેર જીવને મળે,ને મનમાં ઉમંગ થાય
સગપણ સાચા પ્રેમનુંઆવતાં,ખુશાલી આવી જાય
આ આશાના અપેક્ષા દેખાય,ત્યાં હૈયેથી પ્રેમ થાય
સુખની વર્ષા વરસી જાય,તે પ્રેમ અંતરનો કહેવાય
                      ………..ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
ખટકી ખટકી ચાલતાં દેહે, જ્યાં ટેકાની જરૂર દેખાય
ચાલે સંગે પળવાર માટેજ,ને પછી એ ખોવાઇ જાય
ના પ્રેમનો અણસાર મળે,તો ય એ વર્ષા છે કહેવાય
ના પ્રેમ કે દ્વેષ એ તો,જે જીવથી અવગતીને દેવાય
                      …………ભક્તિ પ્રેમ એ જીવ સંગે.

================================

February 16th 2010

રીત પ્રેમની

                           રીત પ્રેમની

તાઃ૧૬/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ કામણ લીલા,જે માનવ મને દેખાય
રીત પ્રેમની ઘણી જગમાં,જે અનેકરીતે ઓળખાય
                     ………કુદરતની આ કામણ લીલા.
સાચોપ્રેમ સંતાનથી,જે માબાપના વર્તનમાંલેવાય
હૈયે હેત રાખીને દીલથી જ,દે સંતાનને એ હરવાર
અનુભવની આ અદભુતલીલા,જે માબાપને દેખાય
રોકે એ સંતાનને મનથી,જે ઉજ્વળજીવને લઇજાય
                     ………..કુદરતની આ કામણ લીલા.
મની મની કરતાં મનથી,પૈસા પ્રેમ ઉભરાઇ જાય
લાખ પ્રયત્ન કરતાં તનથી,ના ભુલથીએમેળવાય
મળી જાય લાયકાત આવતાં,જે જગતમાં દેખાય
કરતાંમહેનત મનથીસાચી,પૈસા મળીજાય દેનાર
                    ……….કુદરતની આ કામણ લીલા.
સંસારના સાગરમાં રહેતાં,છે માનવમન લલચાય
લગામ જ્યાં પ્રેમને દેતાં,ત્યાં ના તકલીફ ભટકાય
ભક્તિપ્રેમછે નિર્મળદેહે,જે જીવને મુક્તિએ લઇજાય
જન્મોજ્ન્મના આ બંધનથી,જીવે સત્કર્મોજ છે થાય
                    ………..કુદરતની આ કામણ લીલા.

—————————————————-

February 15th 2010

સંદેશો

                              સંદેશો

તાઃ૧૫/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાસાગર આંગળી ચીંધે,ના કોઇને એ દેખાય
સંદેશો પળવારમાંમોકલે,જ્યાં પડતો બચી જાય
                 ……….કરુણાસાગર આંગળી ચીંધે.
પવિત્રજીવ આવે અવનીએ,સંદેશો ભક્તિનો દેવા
માનવતાની મહેંક હોય,ત્યાં એ પ્રભુ કૃપાને જોવા
આંગળી ચીંધે એઆત્માને,જે ભજનભક્તિમાં આવે
જીવન ઉજ્વળ ત્યાં દેખાય,જ્યાં જીવે શાંન્તિ લાવે
                   ………કરુણાસાગર આંગળી ચીંધે.
માબાપના પ્રેમનો સંદેશો,સંતાને વર્તનમાં દેખાય
ઉજ્વળ ભાવિ સંતાનોના,અંતરે આશીર્વાદ લેવાય
પ્રેમની માગણી ના કરવી પડે,ને મળી જાય સ્નેહી
જીવનમાં ડગલે પગલે આવે,શીતળની દરેક લહેરી
                    ………કરુણાસાગર આંગળી ચીંધે.

==============================

February 14th 2010

અદભુત સોપાન

                        અદભુત સોપાન

તાઃ૧૪/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગે છે અદભુત શક્તિ,દેહના સોપાને એસમજાય
અવનીપરના અનેક રૂપમાં,માનવદેહ ઉજ્વળ કહેવાય
                      ………જીવ જગે  છે અદભુત શક્તિ.
પ્રભુ કૃપાની તો રાહ  સીધી,કર્મબંધનથી જે મળી જાય
ડગલે  ડગલાંની સાચવણી એ,સતકર્મોને મળે ઘરબાર
માનવીમનછે આકુળવ્યાકુળ,સમજઅણસમજમાંદોરાય
ભણતરનાસોપાને રહેતા જીવને,સાચીસમજ મળી જાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
મળેલ મનને પારખીલેતાં,દેહથી નાભુલ સમજીનેથાય
ઉજ્વળતાની રાહમેળવવા,જ્યાં ભક્તિનોસંગ પ્રેમેથાય
પળપળનીજ્યાં સમજમળે,ત્યાં નાકોઇ જીવનેદુભાવાય
અદભુત સોપાન ભક્તિછે,જે જીવને મુક્તિએ દોરીજાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
ઉત્તમપળ ને ઉત્તમજીવન,મળે જીવને જગે માનવથાય
આવે અવનીએ બાળક થઇને,ને વિદાયે તે વૃધ્ધદેખાય
જન્મમૃત્યુની આસાંકળ છે,જે ગતીઅવગતીએ લઇ જાય
દર્શનદેહના થઇજ જાય,જ્યાં સંત જલાસાંઇને છે ભજાય
                        ………જીવ જગે  છે અદભુત શક્તિ.

================================

February 14th 2010

તન અને મન

                        તન અને મન

તાઃ૧૪/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરીલે કામ તનથી,ભજીલે રામ મનથી
             જમીલે આજ તનથી,કરીલે દાન મનથી.
                            ………..કરીલે કામ તનથી.
તનમનના સંબંધ નિરાળા,પળ પળ સંગે ચાલે
જીવદેહનો આ નાતો પણ,અવનીએ સાથે આવે
                             ……….કરીલે કામ તનથી.
મારુ એ છે તનના સંબંધ,ને તારુ એ છે મનના
માબાપનોસંબંધ બાળકથી,ઉજ્વળતામળેતનથી
                              ………કરીલે કામ તનથી.
કામથાય જગતમાંતનથી,પણ સંગે મનનોસાથ
મળીજાય સફળતાતનને,ભાવિનોમળી જાયસંગ
                              ………કરીલે કામ તનથી.
જ્યાં અવળીચાલે વાણી,ત્યાં મતી જાયછે ભાગી
તનને મળે જ્યાં લાકડી,મન શોધેછે ત્યાં ઢાંકણી
                              ………કરીલે કામ તનથી.
પ્રેમપ્રેમની કતારલાંબી,પણ સાચવી પકડી લેવી
અનંત લીલા પ્રેમની દીઠી,તનમનને રાખે જકડી
                              ………કરીલે કામ તનથી.

==============================

« Previous PageNext Page »