જીવનો સંગાથ
જીવનો સંગાથ
તાઃ૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહ જીવની સાથે જ ચાલે,ને મમતાતો ભાગે દુર
પ્રભુ કૃપાએ જન્મ અટકે,જીવને શાંન્તિ મળે અખુટ
……….મોહ જીવની સાથે જ ચાલે.
મનથી થાય સ્મરણ પ્રભુનુ,ના તનને લાગે મોહ
પળપળને પરમાત્મા સંભાળે,નાકાયાને રહે લોભ
માળાના મણકા ના જોતાં,સ્મરણરહે જ્યાં મનથી
મળેમનને શાંન્તિ ત્યારે,જ્યાં કૃપા પ્રભુની મળતી
………. મોહ જીવની સાથે જ ચાલે.
લાગણી ના માગણીએમળતી,કે નામમતા નામોહ
સકળ જગતના પિતાપ્રભુને,ના માગણી રહે અનેક
જીવન ઉજ્વળ દેતા પ્રભુજી,ને કલ્યાણ જીવનુ એક
જન્મ મરણની માયા છુટે,ને પ્રભુ કૃપાનામળે વ્હેણ
………મોહ જીવની સાથે જ ચાલે.
———————————————-