June 7th 2010

મારી ભક્તિ

                             મારી ભક્તિ

તાઃ૭/૬/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું,મનથી સ્મરણ કરુ પ્રભુનુ
મોહ માયાથી દુરજરાખી,ઉજ્વળ જન્મ માગુ પ્રભુથી
                          ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
પ્રભાતઉજ્વળ જોવારોજની,સુર્યદેવનુ પુંજન કરુ છું
આગમને જેમ પૃથ્વીઉજાસે,જીવનમારું રહે સહવાસે
પ્રભુભક્તિ દે મનનેશાંન્તિ,ના મળે જીવને અશાંન્તિ
જલાસાંઇને શરણે હું રહેતાં,ભક્તિ મારી શાંન્તિ દેછે
                         ………..શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
માસરસ્વતીની કૃપામળી,ત્યાંજીવનેસાચીરાહમળીછે
મહેનતતનથીકરતાંઆજે,સંસારનીસૌ વ્યાધી ટળીછે
સમયપારખી ભક્તિ કરતાં,ઉજ્વળ પ્રભુકૃપા લીધીછે
સરળજીવન નેસાચીરાહ,સહવાસીઓથી આજેમળીછે
                           ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
જગની માયા દુર રહીછે,ભક્તિ પ્રભુની મનથી કરી છે
માયાપ્રભુની મેળવી લીધી,શાંન્તિજીવને મળી ગઇ છે
ભક્તિનો અણસાર જલાથી,જીવને મુક્તિ દેશે જન્મથી
સાચીભક્તિની અજબશક્તિ છે.જીવે જગે જાણીલીધીછે
                           ………… શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.

       ============================

June 6th 2010

એ આવ્યો

                         એ આવ્યો

તાઃ૬/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનની શીતળ લહેર સંગે,મધુરમીઠી સુવાસ લઇને
એ આવ્યો મેધનાદ લઇને,વરસી રહ્યો વરસાદ આજે
                        …………પવનની શીતળ લહેર સંગે.
અવનીપરના આગમને,જગત જીવ હેત પ્રેમે હરખાય
વરસાદની એક બુંદજ મળતાં,પૃથ્વી મહેંકીજાય આજે
શીતળ વાયરો દેહને સ્પર્શે,માનવદેહ જગત પર હરખે
મળતાં સહવાસ શાંન્તિલાવે,માનવદેહે ઉજ્વળતાઆવે
                        …………પવનની શીતળ લહેર સંગે.
હૈયે ટાઢક,દેહે ટાઢક,મળે જગતના જીવને સાચી ટાઢક
મહેર અવની પર સુગંધ લાગે,શબ્દ મળેના તેના માટે
પવનનીલહેર શીતળતાલાવે,ઉજ્વળ જીવનત્યારે લાગે
મળી જાય શાંન્તિ મનને,એ આવ્યો આ વરસાદ ત્યારે
                          ………પવનની શીતળ લહેર સંગે.

============================

June 6th 2010

જન્મદીને પ્રાર્થના

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                           જન્મદીને પ્રાર્થના

તાઃ૫/૬/૨૦૧૦    (૫/૬/૧૯૪૯)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો માનવીનો,આજીવ પર પ્રભુ કૃપા કહેવાય
માબાપ,ભાઇ બહેનની સાથે,સ્નેહાળપ્રેમીઓ છે હરખાય
અવનીપર આવતાંદેહને,નામ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળીજાય
                                  ………..જન્મ મળ્યો માનવીનો.
બાળપણમાં મળ્યોપ્રેમ,જે સંતાન બની મેં માણી લીધો
ઘોડીયામાં આનંદ મળ્યો,મા જશોદાનો મળ્યો કનૈયાને
પ્રાર્થના અને પ્રેમ સ્વીકારી,પ્રભુએ કર્યો ઘણો જ ઉપકાર
ભણતરના સોપાને સિધ્ધી દીધી,મને મળીગયા સોપાન
                                  ……….જન્મ મળ્યો માનવીનો.
જન્મ જીવના બંધન છોડી પ્રભુ,આજીવને મુક્તિ જ દેજો
અખંડ ચરણની સેવા હું માગી,કર્મના બંધનથી જ નીકળુ
માનવતાની મહેંક પ્રસરે,ને નારહે આ જીવનની અપેક્ષા
દેહના બંધનથી દુરજ રહેતા,જીવ રહે જલાસાંઇને શરણે
                                  ………..જન્મ મળ્યો માનવીનો.

=================================

June 4th 2010

શ્રધ્ધાંજલી…..

 

 

 

 

 

 

 

 

                      શ્રધ્ધાંજલી…..

તાઃ૪/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં,મુકી ગયાછે એ પ્રેમની સુવાસ
આદિલભાઇની ગઝલન્યારી,જેમાં મા સરસ્વતીનો સહવાસ
                                 ………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
ગઝલમાં એ ગણનાયક જેવા,જીવન ઉષ્મા ભર્યુ કરીજાય
શબ્દે શબ્દની કેડી પણ ન્યારી,જે નાનામોટાથી સમજાય
ઉમંગ શોકને પારખી લઇને,શબ્દોના સજાવે એ શણગાર
કૃપામાની આંગળીએ રહેતી,જે કલમથકી કાગળ પરજાય
                            …………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
દેહ ત્યજો એ જીવના બંધન,ના કોઇથી અવનીએ છોડાય
યાદ બને સંભારણા જગતમાં,જે કલમ લેખકની કહેવાય
ગઝલ તમે આજે વાંચી,કાલે વાંચસો ને ભવિષ્યે વંચાય
જીવને શાંન્તિ પ્રભુ પણ દેશે,જે વાંચીને હજારોછે હરખાય
                             ………….હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.

===============================

          ગુજરાતી ભાષાના મહાન લેખક અને ગઝલકાર સદગત
શ્રી આદિલભાઇને હ્યુસ્ટન હંમેશાં યાદ કરે કારણ તેમણે અહીં આવી
ગુજરાતી સાહિત્ય સરિતાને પગથીયા આપ્યા છે.તે મહાન અને
પવિત્ર આત્માને અમારા સૌ તરફથી શ્રધ્ધાંજલી રુપે લખેલ કાવ્ય
અર્પણ. ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ.

June 3rd 2010

પ્રેમની શોધ

                          પ્રેમની શોધ

તાઃ૩/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવો મળશે ને કેટલો મળશે,ક્યારે મળશે ને ક્યાંથી મળશે
સમજ મને નાઆવી શકશે,ક્યારે જીવની આવ્યાધી ટળશે
                              ……….કેવો મળશે ને કેટલો મળશે.
માગું મનથી પ્રેમ હ્રદયનો,ડરુ છુ હું કે નામળે મને ઉપરનો
દુનીયાદારી મેં જાણી લીધી,ત્યારથી જીવની સમજુ સ્થીતી
અતિ મળે જ્યાં ઉભરો દેહથી,સમજી લેવુ ત્યાં ગયો કામથી
                               ……….કેવો મળશે ને કેટલો મળશે.
સંતાનના સહવાસ નો પ્રેમ,તરસે માબાપ જીવનમાં એમ
લાગણીપ્રેમ ને સદાચાર રહે,જ્યાં સંસ્કારનીગંગા વહ્યા કરે
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં માબાપનોપ્રેમમળી રહે
                              ………..કેવો મળશે ને કેટલો મળશે.
જીવ આ ઝંખે પ્રભુની પ્રીત,માનવ શોધે જગે તેની રીત
માળાથી મળશે કે મંદીરથી,ના સમજમાં આવે એ કોઇથી
આશિર્વાદથી  કે દંડવતથી,ના સમજાય અહીં માનવીથી
                           …………કેવો મળશે ને કેટલો મળશે.

===============================

June 3rd 2010

નિરાળી ભક્તિ

                       નિરાળી ભક્તિ

તાઃ૩/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુની ભક્તિ,મળે છે શક્તિ
પ્રભુની ભક્તિ નિરાળી,જીવેમળે છે શક્તિ ન્યારી
કરેલા કર્મો,સંગે વહે છે
કરેલા સતકર્મો જીવનમાં,ગંગા જેમ સંગે વહે છે.
                           ………પ્રભુની ભક્તિ નિરાળી.
મોહ માયા છે જગતમાં સૃષ્ટિ પ્રભુની
મળેલી મમતા માની જીવને જકડી ચાલે
છુટે ના તનમનથી એ,જન્મથી  દેહે વળગે
જલાસાંઇની જ્યોત જ્યાંછે,લાગે સાર્થકજીવન ત્યાંછે.
                       ………….પ્રભુની ભક્તિ નિરાળી.
મુક્તિ ના દે માનવી જીવને
મિથ્યા આપે માળા,જ્યાં દર્શન માટે માનવ તરસે
શ્રધ્ધાસાથે જીવચાલે,નાવ્યાધી જગમાં કોઇ આવે
મુક્તિ દ્વાર પ્રભુ ખોલી આવે,સંગે સાથે કરુણા લાવે
                            ……….પ્રભુની ભક્તિ નિરાળી.

 ++++++++++++++++++++++++++++++++

June 2nd 2010

હ્રદયનો પ્રેમ

                       હ્રદયનો પ્રેમ

તાઃ૨/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પત્થર જેનો ઘા વાગે તો,ના કોઇથીય ઉભુ રહેવાય
વજ્ર જેવો ઘા વાગે તોતો,ના જગમાં એ સહન થાય
માબાપ કષ્ટવેઠે જગે,સુખી જોવા સંતાનના સોપાન
આંસુ લુછી મા દોડી આવે,ને પિતા દે પ્રેમનો પોકાર 
                             ……….. પત્થર જેનો ઘા વાગે તો.
બાળપણથી જુવાની સંગે,પળપળ માનો તો પ્રેમમળે
ભીનુ જોઇ બદલે પાટલી,ને સંતાનને એ કોરામાં મુકે
માનીસહન કરવાની રીતઅજબ,બાળકને એમળી રહે
દુધનુ પોષણ એ પ્રેમે આપી,સંતાનને સરભળતી રહે
આંખમાં એ આંસુ જુએ તો,પળમાં પ્રેમ દઇએ લુછીલે
                              ………પત્થર જેનો ઘા વાગે તો.
માયાની ના દ્રષ્ટિ માગું,ના લોભની કોઇનાની લકીર
જન્મ સાર્થક કરવા સંગે,રાખુ પ્રેમને જાણે હોય ફકીર
મમતા માતાની મળેમને,ને જીવન રહે મારું હેમખેમ
કરુણાવરસે પરમાત્માની,ને સૌનો મળે હ્રદયનો પ્રેમ
                             ……….પત્થર જેનો ઘા વાગે તો.

============================

June 2nd 2010

આ છે કળીયુગ

                      આ છે કળીયુગ

તાઃ૨/૬/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સામે ચાલવુ,ને મુશ્કેલીઓથી ભાગવુ ભઇ
કળીયુગની આરીત છેએવી,જે હવે મને સમજાઇ ગઇ
                           ………….સરળતાની સામે ચાલવું.
પગલી માંડતાં ના વિચારવુ,ને પછી પસ્તાવુંજ અહીં
બુધ્ધિવિચારને પાછળમુકી,ઉંચીડોકેઆગળ દોડવું જઇ
વાગે ઠેસ એક જીવનમાં જ્યાં,ત્યાં કુદીને ભાગવુ ભઇ
વિટંમણાઓની કેડીએથી,નારસ્તો મળેતમને અહીં કોઇ
                             ……….સરળતાની સામે ચાલવું.
ભણતરનીકેડી પકડતાં સાથે,લાગવગની લાકડી લેવી
ઓળખાણની ખાંણે પડતાં,દોરડી એકજ પકડવી એવી
મનમાંઆવે જ્યાં મુંઝવણ,ત્યાં પાટીપેન દુર મુકી દેવી
કોમ્યુટરની લાઇન પકડતાંજ,ગમે તે સાઇટ ગોતી લેવી
                          ………….સરળતાની સામે ચાલવું.

++++++++++++++++++++++++++++++++

June 1st 2010

કરુણા કુદરતની

                      કરુણા કુદરતની

તાઃ૧/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિયાળાનો શીતળ વાયરો,શીતળતા દઇ જાય
વાયરાની એકજ ઝલકથી,હૈયે ટાઠક મળી જાય
               ………..શિયાળાનો શીતળ વાયરો.
ઉદયઅસ્તનો વાયરો એવો,માનવમન મલકાય
કુદરતની આ કરુણાન્યારી,ના જગતમાં સમજાય
એકલહેર જેમ પ્રેમની મળે,ને મનડુ હરખાઇ જાય
વાયરાની શીતળલહેરમાં,આ જીવન ઉજ્વળથાય
                     ………..શિયાળાનો શીતળ વાયરો.
ઉનાળાના ઉજાસનેલેતાં,માનવી પરસેવે લબદાય
ઉકળાટ મનને ત્યાં મળે,જ્યાં દેહનેગરમી અડીજાય
અકળામણના આશરે રહી,માનવી દીવસે અકળાય
સુર્યદેવના અતુટકિરણો,સુર્યાસ્તથી સૌ જગે હરખાય
                        ………શિયાળાનો શીતળ વાયરો.
ચોમાસાના કાળા વાદળ જોઇ,જગે ખેડુતો મલકાય
આગમનની વર્ષાને મેળવી,અવનીપર  ટાઠક થાય
અન્નદાનની આ શીતળશૈલી,ના માનવથી સમજાય
વરસી ગયેલા મેધની દેન,જગે અનાજ આપી જાય
                        ………શિયાળાનો શીતળ વાયરો.

       +++++++++++++++++++++++++

June 1st 2010

શબરીના રામ

                        શબરીના રામ

તાઃ૧/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની અજબ શક્તિ,જે ભક્તિએ જ મેળવાય
જન્મની સાર્થકતા જ એમાં,જ્યાં પ્રભુ પરીક્ષા થાય
                       ……….રામનામની અજબ શક્તિ.
શબરી જેની ભક્તિ સાચી,ઝુંપડીએ પ્રભુ આવી જાય
શ્રધ્ધા સાચી પ્રભુમાં રાખી,ત્યાં મીઠા બોર થઇ જાય
પરમાત્માને મોંએ પહોંચતા,સાચી ભક્તિએ હરખાય
આંગણે આવી કર્તાર માગે,ત્યાં સાચો સ્નેહ મેળવાય
                     …………રામનામની અજબ શક્તિ.
મમતા મોહ ને માયા પ્રભુથી,ત્યાં દુનીયા દુર જાય
મંદીર,મસ્જીદ ના મહેલેમળે,પ્રભુ જંગલમાં પણજાય
તાંતણો ભક્તિનો છે મજબુત,જે રામનામથી ભજાય
પ્રેમ પામી પરમાત્માનો,શબરીનુ જીવન ધન્ય થાય
                     ……….. રામનામની અજબ શક્તિ.
અયોધ્યાપતિ શ્રીરામને,મળ્યો તો જંગલમાં વસવાટ
મહેલની માયા પાછળ રહેતા,દીધા જન્મોના સોપાન
રાવણનો સંહાર કરી જગતમાં,દીધો સત્કર્મોનો મુકામ
હનુમાનની ભક્તિબતાવી,કર્યો છે ભક્તોનો જ ઉધ્ધાર
                          ………રામનામની અજબ શક્તિ.

===========================

« Previous Page