September 28th 2010

જીવનની રાહ

                             જીવનની રાહ

તાઃ૨૮/૯/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીલ મળતી મનથી માગી,શુભ અશુભનો ના ત્રાસ
આશીર્વાદની દ્રષ્ટિ પડતાંજ,મળી જાય જીવનની રાહ
                      ………..મંજીલ મળતી મનથી માગી.
ઉજ્વળ કેડી મળે જીવનને,લીધો જ્યાં ભણતરનો સાથ
મહેનત મનથી કરી લેતાં, આવી આંગણે મળે છે લાભ
સંસ્કાર મળેછે માતાથી,જીવનમાં સદમાર્ગોને દઇ જાય
પિતાથી મળતી રાહની દોરી,જીવનને રાહ મળી જાય
                      ………..મંજીલ મળતી મનથી માગી.
સંત સ્નેહ મળે જીવનમાં,ત્યાં ભક્તિની રાહને પકડાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિ પડતાં,જીવ ભક્તિએ દોરાય
બારણુ ખોલતા કીરણ પ્રસરે,ત્યાં ઘર અમૃત થઇ જાય
પરમાત્માની મળતાં કૃપા,જગતથી  મુક્તિ મળી જાય
                      ………..મંજીલ મળતી મનથી માગી.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment