July 21st 2011

શીતળતાની લહેર

                        શીતળતાની લહેર

તાઃ૨૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માન અપમાનને માળીયે મુકતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાની લહેર જીવને મળતાં,જલાસાંઇ રાજી થાય
                     ………..માન અપમાનને માળીયે મુકતાં.
જન્મ મૃત્યુથી જકડાયેલ જીવ,અવનીએ આવે વારંવાર
નાછુટે દેહના સંબંધ જીવના,આવન જાવનમાં ભટકાય
કર્મનીસાચી કેડી ના મળતાં,મુક્તિ પણ દુર ચાલી જાય
ગતિમતિની નાકાંઇ સમજરહેતા,જીવ અવગતીએ જાય
                    ………..માન અપમાનને માળીયે મુકતાં.
મળે તનને કૃપાપ્રભુની જગે,ત્યાંજ સંત સાચા મળી જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતાં,ઉજ્વળરાહ જીવનેએ આપી જાય
આવતી વ્યાધી કળીયુગની,સાચી ભક્તિએ ભાગીજ જાય
મળે કૃપાજીવને જલાસાંઇની,જે શીતળ લહેરથી સહેવાય
                     ………..માન અપમાનને માળીયે મુકતાં.
કળીયુગની તો ભઈ ભક્તિએવી,જે દેહનેમસ્તી આપીજાય
ભગવાની રાખી છાયા આયુગમાં,મસ્તમઝાય માણી જાય
સંસારની સાંકળમાં રહીને,જીવોનોસહવાસ એમેળવી જાય
દેખાવની આ તો ગાડીલાંબી,જીવને ગેરમાર્ગે જ દોરી જાય
                     …………માન અપમાનને માળીયે મુકતાં.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

July 20th 2011

નસીબદાર

.

.

.

.

.

.

.

.

.

.                        નસીબદાર

તાઃ૨૦/૭/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોંધી મુડી જીવની જગતમાં,જેને કર્મથી ઓળખાય
સાચી ભક્તિએ કર્મ છુટે,તેજીવ નસીબદાર કહેવાય
                       ……….મોંધી મુડી જીવની જગતમાં.
લેણદેણ એ છે માનવીની સમજ,ના કર્મથી છટકાય
માબાપ નીમીત છે દેહના,ઉપકાર કોઇથી નાભુલાય
વર્તનએ કર્મ છે જીવનું,જે ગત જન્મથીજ મેળવાય
મળેલપ્રેમ આશીશ છે દેહ પર,જે ભક્તિએ સમજાય
                     ………..મોંધી મુડી જીવની જગતમાં.
નસીબ મળેના કોઇનેશોધે,એતો લાયકાતે મેળવાય
મારી તારીની છુટતાં દોરી,કુદરતની કૃપાએ લેવાય
વિરબાઇ જલારામની ભક્તિ,જીવન સાર્થક કરી જાય
પારખીલે જે જીવનમાં,તેજ જીવ નસીબદાર કહેવાય
                      ………..મોંધી મુડી જીવની જગતમાં.

***********************************

July 19th 2011

જકડાયેલ જીવ

                        જકડાયેલ જીવ

તાઃ૧૯/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગતમાં જકડાઇ જાય,જ્યાં દેહ અવનીએ મેળવાય
સદારહે મૃત્યુનો ડર આ દેહને,જે કર્મોના બંધનથી જકડાય
                          …………જીવ જગતમાં જકડાઇ જાય.
યુગની અસર પડેજ દેહ પર,જે દેહના વર્તનથી જ દેખાય
કળીયુગ સતયુગ એજીવની કેડી,સમયેમાર્ગ બતાવી જાય
વાણી વર્તન એ દેહથી મેળવાય,જ્યાં વિચારોને કેળવાય
મૃત્યુનો ડર જ્યાં મળે દેહને,ત્યાં ના આધાર કોઇ સહેવાય
                           ………..જીવ જગતમાં જકડાઇ જાય.
જીવને જગતમાં મળે એરાહ,જે તેનો જન્મ સફળ કરીજાય
કૃપા પ્રભુની થાય એજીવપર,જે સાચી ભક્તિથી જીવીજાય
જલાસાંઇની ભક્તિ પ્રેરણા સાચી,જે સંસારીથીય મેળવાય
જકડાયેલ જીવ જગતથીછુટે,જ્યાં ભક્તિ પળેપળ થઇજાય
                           …………જીવ જગતમાં જકડાઇ જાય.

+++++++++++++++++++++++++++++++++

July 19th 2011

ભુલોનો ભંડાર

                           ભુલોનો ભંડાર

તાઃ૧૯/૭/૨૦૧૧                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

        પૃથ્વી પર જ્યારથી જીવને દેહ મળ્યો છે ત્યારથી તે દેહ ભુલ કરે જ છે.
પછી તે ગમે તે જીવ હોય પવિત્ર,અપવિત્ર કે પરમાત્મા બધાજ તેમાં સંડોવાય
છે અને તે ભુલનું પરિણામ ભોગવે છે.

* શ્રી રામ હરણને મારવા નાગયા હોત તો સીતાજીને રાવણ ઉઠાવી ગયા નાહોત.
* મામા કંસને જ્યોતીષે કહ્યુ ના હોત તો શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં ના થયો હોત.
* અમેરીકાથી થોડા સમય માટે આવેલાનો દેખાવ જોઇને અહીં આવવાનો મોહ ના
   લાગ્યો હોત તો આપણા દેશમાં સુખી હોત.
* દેખાવના સાગરમાં બાળકોને ભુલથી લઈને આવતાં સંસ્કાર ભુલી જઇ અને     
   હાય શરૂ થતાં દારૂ માંસ શરૂ થાય અને પોતાની જ્ઞાતિ છોડી ઘરમાં નીચી
  કોમની વહુ કે વર લાવે છે.
* અમેરીકા પહોંચ્યા ની ભુલ પછી જ ઉંમર થતાં ધરડા ઘરમાં રહેવુ પડે અને
   સરકારથી મળેલ પૈસે જીવન જીવવું જ પડે.
* કુતરૂ કે બિલાડું ઘરમાં પાળવાની ભુલે ઘરની બહારનું જીવન ન માણી શકાય કારણ
   તેમને ખવડાવવા પીવડાવવાની જવાબદારી તમારી છે.
* મળ્યા ભાઇની પ્રીત સારી નહી તો ઘણી તકલીફો માથે પડે જ.
* બાળકોને સાચા માર્ગે જો નહીં લઈ જાવ તો તેમની બગડતી જીંદગીના જવાબદાર
   તમે જ છે.
* માન મર્યાદા અને સંસ્કાર ને સાચવવાની જવાબદારી તમારી છે.તે ના ભુલાય.
* જ્યાં બાળકો માબાપને નમન કરવાનુ ભુલી જાય ત્યાં કુદરતનો કોપ મળે છે.
* વાણી અને વર્તન એ તમારી મુડી છે તે કદી ના ભુલાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 18th 2011

સરળતાની ચાવી

                       સરળતાની ચાવી

તાઃ૧૮/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મુકીને મહેનત કરતાં,સફળતાને સહેવાય
રાહમળે જ્યાં સરળતાની,ચાવી ત્યાં મળીજાય
                  ……….મન મુકીને મહેનત કરતાં.
આંગળીનો એક અણસાર,જીવનને બદલી જાય
સારા કામની સુવાસથી,માનવતા મળીજ જાય
દુષ્ટ માર્ગની એકદોરી,આ જીવનને વેડફી જાય
સમય આવતાં સરકીજાય,ને દુઃખ વળગી જાય
                   ………..મન મુકીને મહેનત કરતાં.
અંતરમા ઉમંગ અનેરો,માનવીના વર્તને દેખાય
મળેસુવાસે સ્નેહનીસાંકળ,ને પવિત્ર જીવન થાય
મોહમાયાને બાંધી લેતાં,મુક્તિની રાહ મળી જાય
નામાગણી કરવીપડે દેહે,જીવનો ઉધ્ધાર થઇજાય
                   ………..મન મુકીને મહેનત કરતાં.

=============================

July 18th 2011

મૃત્યુનુ મુખ

                          મૃત્યુનુ મુખ

તાઃ૧૮/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સધળી માયા દેહથી છુટે,જ્યાં મૃત્યુ દેખાઇ જાય
નાછુટે જો દેહથી ત્યારે,તો એજીવ ભટકતો થાય
                      ………..સધળી માયા દેહથી છુટે.
મૃત્યુઆવે બારણે જ્યારે,ત્યાં જીવપણ જાગી જાય
પળપળનો જ્યાં હિસાબ થતો,ના જીભથી બોલાય
મૃત્યુનું જ્યાં મુખખુલે ત્યાં,સગાસંબંધી ભાગી જાય
તુટે દેહનાસંબંધ અવનીના,ત્યાં જીવ જકડાઇ જાય
                      …………સધળી માયા દેહથી છુટે.
દેખાવનો જ્યાં દરીયો ખુલે,દેહને શબ્દોથી સહેવાય
જીભ સાચવી મોં બંધરાખી,દેખાવ ત્યાં આવી જાય
ના અટકે નાઅટકાવે કોઇ,જ્યાં જીવ દેહ છોડી જાય
કૃપા થાય એ જીવ પર,જે સાથે ભક્તિને લઈ જાય
                         ………..સધળી માયા દેહથી છુટે.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

July 17th 2011

નિર્ધન ને ધનવાન

                    નિર્ધન ને ધનવાન

તાઃ૧૭/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એતો, જીવનો સંબંધ કહેવાય
લેણદેણ જે ધરતીના જીવને,કર્મનાબંધનથી સચવાય
                       ……….અવનીપરનુ આગમન એતો.
મારું તારું કરતાં કરતાં,જ્યાં દેહ મૃત્યુને મેળવી જાય
આશા અધુરી રહી જતાં જીવને,ફરી જન્મ મળી જાય
મોહમાયા ધનવાનની વૃત્તિ,ધન મળી જતાં બદલાય
સગા સંબંધીને દુર રાખતાં,દેહને તિરસ્કાર મળી જાય
                       ……….અવનીપરનુ આગમન એતો.
નિર્ધનને નામાયા ધનની,એતો મહેનતથી જીવી જાય
તન,મન,ધનને સરળરાખતાં,આમન પાવન થઈજાય
નિશ્વાર્થભાવની ભક્તિસંગે,નિશ્વાર્થપ્રેમ પણ મળી જાય
ધનની માયા વળગીજતાં,જીવનોજન્મ વ્યર્થ થઈજાય
                   …………..અવનીપરનુ આગમન એતો.

=================================

July 17th 2011

પારકો પ્રેમ

                         પારકો પ્રેમ

તાઃ૧૭/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પારકો પારખી લેતાં,સુખ દુઃખ સચવાઇ જાય
કોનો,કેટલો,કેવો,ક્યાંથી,એતો સમયે સમજાઇ જાય
                        …………પ્રેમ પારકો પારખી લેતાં.
ના માગે મળતો પ્રેમ સંતાનને,નિખાલસ કહેવાય
સાચી લાગણી પામીલેતાં,જીવને માર્ગ મળી જાય
ભાઇબહેનનો પ્રેમઅંતરનો,સાચીલાગણીએ લેવાય
માયા મોહને દુર રાખતાં,સાચો પ્રેમ પકડાઇ જાય
                          ………..પ્રેમ પારકો પારખી લેતાં.
દેખાવનીદુનીયામાં ફરતાં,આગળપાછળ નાજોવાય
સ્વાર્થ ભરેલા આ સંસારમાં,હદથી વધુજ છુટી જાય
સુખમાં પકડી હાથ ચાલે સાથે,દુઃખમાં ખોવાઇ જાય
પારકાપ્રેમની પરખ એજ છે,જે સુખમાં વહેંચી જાય
                            ……….પ્રેમ પારકો પારખી લેતાં.

+++++++++++++++++++++++++++++++

July 17th 2011

વ્હાલા હનુમાન

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

.                       વ્હાલા હનુમાન

તાઃ૧૭/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાણી લીધી ભક્તિસાચી,જ્યાં મળ્યા ભક્ત હનુમાન
શ્રધ્ધા રાખી કર્મકરતાં,રાજી કરી લીધા પ્રભુ શ્રીરામ
                       ………..જાણી લીધી ભક્તિ સાચી.
રામનામનુ રટણ કરતાં,દરીયાના પત્થર તરી જાય
શ્રધ્ધા રાખી રામનામમાં,કરી ગયા એ સાર્થક કામ
મોહ માયાને દુર રાખતા,કૃપાળુની કૃપાને મેળવાય
અજબ શક્તિ ભક્તિની છે,જે કર્મ થકીજ મળી જાય
                         ………..જાણી લીધી ભક્તિ સાચી.
મુખમાં સુરજ ગળી જતાં તો, જગે અંધારુ થઇ જાય
દેવોને પણ નમવુ પડ્યૂં,જે શક્તિ ભક્તિની કહેવાય
સાગર પાર કરી લંકામાં,સીતાજીને અંગુઠી દઈ જાય
સિંદુરતેલની સમજઆપીને,વિશ્વાસુ વહાણ દોરીજાય
                        …………જાણી લીધી ભક્તિ સાચી.

++++++++++++++++++++++++++++++++

July 17th 2011

કર્મ સંબંધ

                           કર્મ સંબંધ 

તાઃ૧૭/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરત કેરા ન્યાયમાં જગત પર,કોઇ ના છટકી શકે
જીવને મળતા જન્મ  જગે,ના ઝંઝટ કોઇ અટકી શકે
             ………..  કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર્મના બંધન જીવને જગે, જન્મ મળતાજ સમજાય
માનવતાની મહેંક છે સાચી,જ્યાં ભક્તિપ્રેમથી થાય
મળી જાય છે કૃપા પ્રભુની,જે સાર્થકજન્મ કરી જાય
આવીઆંગણે પ્રભુ મળે,જે ભક્તિ જીવથીજ મેળવાય 
                ……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર જોડીને વંદન કરતાં,જીવથી રાહ સાચી મેળવાય
જલાસાંઇની સાચી ભક્તિએ,જીવને પ્રેરણા મળીજાય
મોહમાયાના બંધ દ્વારથી,જીવનમાંઉજાસ આવીજાય
નિર્મળ જીવન સાચી પુંજા,જીવને આધાર મળી જાય
                ……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.

################################

« Previous PageNext Page »