August 15th 2011

વંદન માતૃભુમીને

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       વંદન માતૃભુમીને

તાઃ૧૫/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત મારી માતૃભુમી છે,જેનું જગતમાં ઉજ્વળ નામ
ત્રિરંગો એએકતાનું પ્રતીક છે,સન્માને વિશ્વમાં લહેરાય
.                          ………….ભારત મારી માતૃભુમી છે.
બાપુગાંધી નેતા મળ્યા દેશને,દીધો અહિંસાથી પડકાર
લોખંડી એકતા મળી સાથમાં,જ્યાં વલ્લભભાઇ જોડાય
અનેક વિરોના બલિદાન થતાં,આઝાદીની કેડી પકડાય
સ્વતંત્રતાનો ડંકો વાગતાં,અંગ્રેજો ત્યાંથી ભાગીજ જાય
.                            …………ભારત મારી માતૃભુમી છે.
નાતજાતને નિચોવી નાખી,તૈયાર ભારતીઓ થઈ જાય
એકબીજાના હાથ પકડીચાલતાં,ના કોઇથી ઉભુ રહેવાય
મળી આઝાદી અમર વીરોથી,જગતમાં નામ તે બોલાય
વંદન મારી માતૃભુમી ભારતને,૧૫મી ઑગસ્ટે ઉજવાય
.                           ………….ભારત મારી માતૃભુમી છે.

**************************************
+++++++++++++++++++++++++++++++++++++

August 15th 2011

શ્રી શિવશંકર

.                     શ્રી શિવશંકર

તાઃ૧૫/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ શિવશંકર ઓ ભોલેભંડારી,અજબ તમારી કરુણા ન્યારી
સ્વર્ગલોકમાં ને પૃથ્વીલોક પર,કિર્તી તમારી જગમાં વ્યાપી
.                      ………….ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
પવિત્ર શ્રાવણમાસ જગતમાં,પવિત્રજીવોએ મુક્તિ લેવાની
ભક્તિ પ્રેમથી પાવન જીવન,જીવને સાચીરાહ છે મળનારી
ભજન ભક્તિનો સંગ મળતાં,પાવનકર્મ એ દેહે  કરાવનારી
ભોલેનાથની શક્તિન્યારી,જીવને જગથીમુક્તિ એજ દેનારી
.                    ……………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
સોમવારની આ શીતળપ્રભાતે,શ્રાવણમાસનો મહીમા જાણી
ૐ નમઃ શિવાયનું સ્મરણ કરતાં,જીવદેહને સદમાર્ગ દેનારી
મુક્તિમાર્ગની દોરછે ન્યારી,ભક્તિ પ્રેમથીજ મેળવી લેવાની
ગજાનંદની કલમનિરાળી,માતાપિતાની કૃપાએ મેળવવાની
.                       …………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.

++++++++++++++++++++++++++++++++++

August 15th 2011

ભવબંધન

.                            ભવબંધન

તાઃ૧૫/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવની જ્યોત નિરાળી,ભક્તિ ભાવથી પ્રગટી જાય
સફળ જન્મની એકછે સાંકળ,જગના ભવબંધન છુટી જાય
.                     …………..જન્મ જીવની જ્યોત નિરાળી.
નિત્ય મોહ ને માયા છુટતાં,પાવનકર્મ જીવે સમજાઇ જાય
આવતીકાલ ઉજ્વળ બનતા જીવનો,જન્મસફળ થઈ જાય
મળે પ્રેમપરમાત્માનો દેહને,ત્યાં દેહનાકર્મ સૌ સુધરી જાય
શ્રાવણ માસની પ્રભાત પુંજાએ,શ્રીશિવ ભોલેનાથ હરખાય
.                     ……………જન્મ જીવની જ્યોત નિરાળી.
કુદરતની અપારકૃપા મળે જીવને,જ્યાં ભક્તિભાવથી થાય
પ્રેમનાબંધન પરમાત્માથી હોય જો નિર્મળ,ત્યાં દર્શન થાય
બંધ આંખે ઉજ્વળતા સહેવાય,ત્યાં મળેલ જન્મસાર્થક થાય
સંત જલાસાંઇની મને પ્રીત મળતાં,પ્રેમેપુંજન અર્ચન થાય
.                        ………….જન્મ જીવની જ્યોત નિરાળી.

==================================

August 14th 2011

પ્રભાત

.                     પ્રભાત

તાઃ૧૪/૮/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર વાંસળીનો સાંભળી સવારે,મન પ્રફુલ્લીત થાય
ઉજ્વળલાગે આજ પ્રભાત,જ્યાં સુર્ય નમસ્કાર થાય
.              ………….સુર વાંસળીનો સાંભળી સવારે.
ધર્મ કર્મની આ અજબકેડી,જે સારા સંસ્કારે મેળવાય
પ્રભુ ભક્તિનો માર્ગ છે નિર્મળ,કર્મબંધનથી સહવાય
જલાસાંઇની પ્રીત ન્યારી,જ્યાં માનવતા મળી જાય
માળાનામણકાને છોડતાં,મળેલ જન્મસફળ થઈજાય
.                  ………..સુર વાંસળીનો સાંભળી સવારે.
મૃત્યુ મળતાં દેહને જગતથી,સ્વર્ગ નર્કના દ્વાર દેખાય
સાચી ભક્તિ જીવથી થાય તો,પ્રભુકૃપાજ મળી જાય
સ્વર્ગનાદ્વાર ખુલી જાય જગે,ત્યાં જીવનો ઉધ્ધારથાય
જન્મમરણની મુક્તિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………સુર વાંસળીનો સાંભળી સવારે.

##################################

August 14th 2011

મહાનગર

.                    મહાનગર

તાઃ૧૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમેરીકાથી હું આણંદ આવ્યો,મારું હૈયુ ખુબ હરખાય
નાની ગલીઓ વિશાળથતાં,એ મહાનગર થઈ જાય
.                      …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
ગૌરવ છે ગુજરાતનું આણંદ,ને અમુલ ડેરી ઓળખાય
અમુલ બટર ને ઘી જગતમાં વેચે,શાન બને શણગાર
વસ્તી,વાહન ખુબ વધ્યા છે,ના રસ્તો પણ ઓળંગાય
બાલ મંદીર ને હાઇસ્કુલો હતી,હવે કોલેજો પણ ભરાય.
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
માયા મનેછે આણંદથી,મારું બાળપણ હજુય ના ભુલાય
મિત્રોનો સહવાસહતો,ને ગોપાલજીતથી સંગીતનોસાથ
સિનેસર્કલથી કલાકારોનોપ્રેમ,મને દરેક પ્રોગ્રામે દેખાય
સંગીતની મને મળીદોરી,જે સાચા શિક્ષકનાપ્રેમે લેવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
નાની નાની ડગલીઓ ભરતો,હવેતો વાહનોથી જ ફરાય
ગામડાની ગલીઓ ચલાય,હવેતો શહેરની શેરી ઉભરાય
ડગલુ ચાલતાંજ મિત્રો મળતાં,હવે ફોન કરીને જ જવાય
સમયની આઅજબ બલીહારી,જે ત્યાં પહોંચતાં મેળવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.

***************************************

August 13th 2011

બહેનની રાખડી

.                  બહેનની રાખડી

તાઃ૧૩/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાઇબહેનનો નાતો જગતમાં,માબાપથી જ મળી જાય
રાખડી બાંધતાં રક્ષાબંધને,બહેનની આંખો ભીની થાય
.                    …………..ભાઇબહેનનો નાતો જગતમાં.
અવસર આવે એક વર્ષમાં,કુટુંબે રક્ષાબંધનએ કહેવાય
ભાઇ બહેનના પ્રેમનો નાતો,ના થાય બીજી કોઇ વાતો
માડીજાયને મળવાઆવે,બહેન હૈયાનોપ્રેમ લઈ સાચો
ન કોઇ સ્વાર્થ કે કોઇમોહ,મળતા ભાઇને પ્રેમ ઉભરાતો
.                    ………….ભાઇબહેનનો નાતો જગતમાં.
શીતળસ્નેહ જ્યાં મળેહૈયેથી,ત્યાંઆંખોભીની થઈ જાય
લાગણી બહેનની ને પ્રેમ ભાઇનો,એ અખંડ વરસીજાય
માબાપના સંસ્કારનીકેડી,સંતાનનો જન્મસફળ થઇજાય
રક્ષાબંધન એ પવિત્ર સંબંધ,જ્યાં હૈયેથી પ્રેમ મળીજાય
.                    …………..ભાઇબહેનનો નાતો જગતમાં.

************************************

August 12th 2011

નિર્મળ ભક્તિપ્રેમ

.                 નિર્મળ ભક્તિપ્રેમ

તાઃ૧૨/૮/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર વાણી ને શીતળ સ્નેહ,માનવ જીવન મહેંકે એમ
શાંન્તિના સંગાથે મળીજાય,જીવને નિર્મળ ભક્તિ પ્રેમ
.                       …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
જન્મ જીવના જેમછે બંધન,તેમ વાણી વર્તનના દેખાય
કુદરતની અસીમ કૃપાએ,જીવને ભક્તિ પ્રેમ મળી જાય
માગણી કદી ના કરવી દેહે,કે નાકદી મનથીય એ કરાય
ઉજ્વળજીવને કેડી મળે ભક્તિની,સાર્થક જન્મ કરી જાય
મહેનત સાચી મનથીકરતાં,પાવનકર્મ દેહથી થઈ જાય
.                         …………મધુર વાણી ને શીતળ સ્નેહ.
સવાર,બપોર અનેસાંજ મળે જીવને,જ્યાં દેહ મળી જાય
મુક્તિજીવની સાચીકેડી બને,એ ભક્તિ માર્ગથી પરખાય
મળે માનવતા દેહને જગતમાં,જ્યાં પ્રભુ કૃપા મેળવાય
સંતજલાસાંઇની સરળરાહે,ભક્તિપ્રેમ ઉજ્વળ મળીજાય
ઉજ્વળ આંગણુ મળે અવનીએ,ને જન્મ સાર્થક થઈ જાય
.                        …………મધુર વાણી ને શીતળ સ્નેહ.

——————————————————–

August 11th 2011

ટકોર

.                         ટકોર

તાઃ૧૧/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ થાય જીવનમાં કામ,ને નામ પણ સાથે સચવાય
સમજી વિચારીને ચાલતાંજ,મળતી ટકોર સમજાઇ જાય
.                            …………સરળ થાય જીવનમાં કામ.
સરળતાનીકેડી મળેજીવનમાં,જ્યાં વડીલને વંદનથાય
માગણીમોહ ને માયા છુટતાં,જીવપર કૃપા પ્રભુની થાય
જુવાનીના જોશને પડકારતાં,મળે ઉજ્વળતાના સોપાન
વ્યાધીઓય ભાગે દુર દેહથી,જ્યાં મળેલટકોરને પરખાય
.                           ………….સરળ થાય જીવનમાં કામ.
સીડી પ્રેમની નિર્મળ બનતાં,જીવન આનંદીત થઈ જાય
ડગલેપગલે મળતાં પવિત્રપ્રેમે,નિર્મળજીવન મળી જાય
કુદરતની એક મળે ટકોર ત્યાં,માનવી જીવન ધન્ય થાય
સંત પ્રેમનીકેડી મળતાં જીવનો,આ જન્મસફળ થઈ જાય
.                             ………….સરળ થાય જીવનમાં કામ.

++++++++++++++++++++++++++++++++++

August 10th 2011

મેઘરાજાને આમંત્રણ

.

.

.

.

.

.

.

.

.

.                      મેઘરાજાને આમંત્રણ

તાઃ૧૦/૮/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો છે અમને પ્રેમ પિતાનો,પધારો પ્રેમથી બોલાવાય
સંતાનના આમંત્રણને સ્વીકારો,અવનીએ રાહ છે જોવાય
.                        …………મળ્યો છે અમને પ્રેમ પિતાનો.
સમય ચાલતો જાય ઝડપથી,ના જગતમાં કોઇથી રોકાય
અષાઢ આવી ચાલીગયો આવર્ષે,શ્રાવણ પણ આવી જાય
મેઘરાજાનાપાવન પગલાંજોવા,પૃથ્વીપર રાહછે જોવાય
પધારોપ્રેમ સ્વીકારીઅવનીએ,વધામણી કરવા સૌ તૈયાર
.                         …………મળ્યો છે અમને પ્રેમ પિતાનો.
આવીજાવ અવનીએપ્રેમે,કાલનીહવે અહીં રાહ નાજોવાય
ગરમીના ગોટાળામાં માનવી,અવનીએ ઠંડક શોધવાજાય
કૃપા કરો અમ સંતાન પર પિતાજી, પ્રેમથી વરસીને આજ
એક ભુલ કોઇથી થતાં અવનીએ,નિર્દોષને દુઃખ મળી જાય
.                        ………….મળ્યો છે અમને પ્રેમ પિતાનો.

==================================

August 9th 2011

મારી માગણી

.                          .મારી માગણી.

તાઃ૯/૮/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇની કૃપાએ મને માનવ દેહ મળ્યો છે.જન્મ સાર્થક થાય
એ ભાવનાથી જ મારી માગણી……….

___પરમાત્માથી છે કે__________
*મારાથી કોઇ જીવને દુઃખી ન કરાય તેવી બુધ્ધિ આપજો.
*જન્મ આપનાર માબાપનો મને અખંડ પ્રેમ મળે તેવુ વર્તન આપજો.
*જીવન ઉજ્વળ થાય તે માટે જરૂરી સદબુધ્ધિ આપજો.
*કોઇ પણ જીવનો તિરસ્કાર ન થાય તેવું બળ આપજો.
*મને ભક્તિનો મોહ આપજો અને સાચા સંતની સેવાની માયા આપજો.
*મળેલ જન્મના બંધનથી મુક્તિ મળે તેવુ મને વર્તન આપજો.
*મને પવિત્ર જીવોનો સાથ મળે જેથી આ જન્મ સફળતામાં આપની કૃપા રહે.

____મિત્રોથી છે કે______
*મને સદમાર્ગમાં સાથ આપજો કે જેથી મારી શ્રધ્ધા પકડાઇ રહે.
*એવા બોલ બોલજો કે જેથી મને મિત્રતાનો સહવાસ રહે.
*ખોટા માર્ગે જતાં મને સંકેત આપી અધોગતીથી બચાવે.
* જીવનના સુખદુઃખમાં મારો સાથ બની રહે.
*મારી શ્રધ્ધાને પારખી જન્મ સફળ કરવામાં સહવાસ આપે.
*પ્રેમની જ્યોત સાથે રાખી જીવને સદમાર્ગે દોરવામાં મદદ કરે.

_____મારા દુશ્મનથી છે કે જે_____
*મને પળેપળ સાચવવા મારી જીવનની કેડીમાં જાગૃત રહે.
*મારા કોઇપણ કદમને એ ઇર્ષાથી જુએ તો સાચી સફળતા મળે.
*મારા કામમાં એ અડચણ રૂપ બને તો મારાથી મહેનત થાય.
*મારા થતાં કામમાં એ ટકોર કરે તો હું જાગૃત રહુ.
*મારો હાથ પકડવાને બદલે મને બરડે થાપટ મારે તો હું ચેતીને ચાલુ.
*મારા અનેક કામમાં ડખલરૂપ થાય તો મારી લાયકાત વધે.

++++++++++++===============+++++++++++

« Previous PageNext Page »