October 5th 2011

લગામની પકડ

.              લગામની પકડ

તાઃ૫/૧૦/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાને સમજાય જીવનમાં,ત્યાં શાંન્તિ મળતી જાય
સમજીને લગામ રાખતાં હાથમાં,સર્વે સફળતાલેવાય
.                     ………….. શ્રધ્ધાને સમજાય જીવનમાં.
માયાનાબંધન છે જગમાં,મન મતીથી અટવાઇ જાય
સમજી વિચારી ડગલુ ભરતાં,પાવનકર્મ જીવથીથાય
મોહ જીવનમાંસૌને લાગે,તેને સમજદારથી સમજાય
ના આડી કોઇ આફત આવે,કે ના અથડામણ કોઇથાય
.                     ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
સાચી લાગણી હ્ર્દયથી નીકળે,ના ઉભરાથી એ દેવાય
મળે અંતરની પ્રીત જગતમાં,જેને પ્રેમ સાચો કહેવાય
પારકરે જ્યાં લાગણીજીવનમાં,ત્યાંઅતિનો ઉભરોથાય
ના ઉજ્વળતા મળેદેહને,કે ના કોઇ કામસફળ પણથાય
.                      ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
ઝળહળ વહેતા ઝરણાને,શીતળ વહેંણ છે એમ કહેવાય
વહી જાય જ્યાં વહેણ ઝડપથી,દેહને ઝાપટ મારી જાય
લગામનો જ્યાંસાથછે જીવનમાં,ત્યાં સફળતા મેળવાય
ઉજ્વળ જીવન જીવીજવાને,સાચીરાહ જીવને મળીજાય
.                         ………….શ્રધ્ધાને સમજાય જીવનમાં.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment