લગામની પકડ
. લગામની પકડ
તાઃ૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાને સમજાય જીવનમાં,ત્યાં શાંન્તિ મળતી જાય
સમજીને લગામ રાખતાં હાથમાં,સર્વે સફળતાલેવાય
. ………….. શ્રધ્ધાને સમજાય જીવનમાં.
માયાનાબંધન છે જગમાં,મન મતીથી અટવાઇ જાય
સમજી વિચારી ડગલુ ભરતાં,પાવનકર્મ જીવથીથાય
મોહ જીવનમાંસૌને લાગે,તેને સમજદારથી સમજાય
ના આડી કોઇ આફત આવે,કે ના અથડામણ કોઇથાય
. ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
સાચી લાગણી હ્ર્દયથી નીકળે,ના ઉભરાથી એ દેવાય
મળે અંતરની પ્રીત જગતમાં,જેને પ્રેમ સાચો કહેવાય
પારકરે જ્યાં લાગણીજીવનમાં,ત્યાંઅતિનો ઉભરોથાય
ના ઉજ્વળતા મળેદેહને,કે ના કોઇ કામસફળ પણથાય
. ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
ઝળહળ વહેતા ઝરણાને,શીતળ વહેંણ છે એમ કહેવાય
વહી જાય જ્યાં વહેણ ઝડપથી,દેહને ઝાપટ મારી જાય
લગામનો જ્યાંસાથછે જીવનમાં,ત્યાં સફળતા મેળવાય
ઉજ્વળ જીવન જીવીજવાને,સાચીરાહ જીવને મળીજાય
. ………….શ્રધ્ધાને સમજાય જીવનમાં.
===================================