કંકુ ચોખા
. કંકુ ચોખા.
તાઃ૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુભ અવસરનો અણસાર મળે,જેને પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી આગળ વધતાં,કંકુ ચોખાએ વધાવાય
. …………શુભ અવસરનો અણસાર મળે.
મનને મળતા અનેક માર્ગે,જીવ આકુળ વ્યાકુળ થાય
શાંન્તિનો સથવારો મળતાદેહને,ઘણુંય સમજાઇ જાય
પ્રેમતો પડદો બને જીવનમાં,જે શુભકર્મોએ ખુલીજાય
પરમાત્માની એકદ્રષ્ટિએ,જીવનમાં ઘણુ બધુમળીજાય
. …………….શુભ અવસરનો અણસાર મળે.
ધર્મ કર્મના અતુટબંધન,જન્મ મળતાં જીવને સમજાય
પુંજનઅર્ચન મનથી કરતાં,સંતનો સહવાસ મળી જાય
વધામણીની વહેતીગંગા,મળેલ જીવનપવિત્ર કરીજાય
કંકુચોખા એ શીતળછે કેડી,જીવનો જન્મ સફળકરીજાય
. ………….શુભ અવસરનો અણસાર મળે.
=================================