October 8th 2011

કંકુ ચોખા

.                    કંકુ ચોખા.

તાઃ૮/૧૦/૨૦૧૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ અવસરનો અણસાર મળે,જેને પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી આગળ વધતાં,કંકુ ચોખાએ વધાવાય
.                   …………શુભ અવસરનો અણસાર મળે.
મનને મળતા અનેક માર્ગે,જીવ આકુળ વ્યાકુળ થાય
શાંન્તિનો સથવારો મળતાદેહને,ઘણુંય સમજાઇ જાય
પ્રેમતો પડદો બને જીવનમાં,જે શુભકર્મોએ ખુલીજાય
પરમાત્માની એકદ્રષ્ટિએ,જીવનમાં ઘણુ બધુમળીજાય
.                  …………….શુભ અવસરનો અણસાર મળે.
ધર્મ કર્મના અતુટબંધન,જન્મ મળતાં જીવને સમજાય
પુંજનઅર્ચન મનથી કરતાં,સંતનો સહવાસ મળી જાય
વધામણીની વહેતીગંગા,મળેલ જીવનપવિત્ર કરીજાય
કંકુચોખા એ શીતળછે કેડી,જીવનો જન્મ સફળકરીજાય
.                     ………….શુભ અવસરનો અણસાર મળે.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment