October 11th 2011

કૃપાળુ સાંઇ

.                    . કૃપાળુ સાંઇ

તાઃ૧૧/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબા તો  છે કૃપાળુ,ને એતો દયાનો ભંડાર
સાચી ભક્તિ મનથી કરતાં,મળે કૃપાનો વરસાદ
.                  ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
સ્મરણ માત્રથી શક્તિ દેતા,ને દેતા ભક્તોને સદમાર્ગ
મુંજવણ મનની ટાળી દેતા,દઈને જીવનમાં સહવાસ
રાખી જ્યોત જીવનમાં પ્રેમની,જે માનવતા દઈ જાય
મળે અંતે મોક્ષજીવને કૃપાએ,ને જન્મમરણ ટળી જાય
.                   ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં અદભુત પ્રેમ મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રે,જીવથી મુક્તિ માર્ગ ખોલાય
આવીઆંગણે બાબા રહે,જે જીવનો હાથપકડી લઈજાય
કૃપાળુ સાંઇની કૃપાઅનોખી,સાચી ભક્તિએ મળી જાય
.                 ……….એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.

<><><><><><><><><><><><><><><><><>

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment