October 24th 2011

નસીબની કેડી

.                        નસીબની કેડી

તાઃ૨૪/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મજગતના,જ્યાં દેહ અવનીએ મળી જાય
અજબલીલા કુદરતની,જીવને આવન જાવનથી સમજાય
.                             …………..જીવને જકડે કર્મ જગતના.
દેહ મળતાં માનવીનો અવનીએ,જીવ નસીબદાર કહેવાય
તક દઈ દીધી છેપરમાત્માએ,સમઝતાં દેહના બંધન જાય
રાહ મળતાં ભક્તિની જીવને,સમજણથી  શાંન્તિ થઈ જાય
સંસારના બંધન અતુટ જગતના,ના કોઇથી જગમાં છોડાય
.                               ………….જીવને જકડે કર્મ જગતના.
મળેલ બંધન દેહના જીવને,સાચવતા રાહ સરળ થઈ જાય
ભક્તિનો સંબંધ છે અંતરથી,સાચી શ્રધ્ધાએ તેને સચવાય
મળેજ્યાં પ્રેમજગતમાં જીવોનો,નાકોઇથી અવનીએ છોડાય
ભાવનાસાચીભક્તિમાં છે,જે કૃપાએ નસીબદારને મળીજાય
.                              ………….જીવને જકડે કર્મ જગતના.

######################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment