June 1st 2012

સ્નેહી સાંકળ

.                 .સ્નેહી સાંકળ

તાઃ૧/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી જગે પકડાય,કે ના કોઇથીય તેને છોડાય
જીવનેમળે સ્પંદનદેહથી,એ સ્નેહની સાંકળ કહેવાય
.                    ……………….ના કોઇથી જગે પકડાય.
અવનીપરના આગમનને,કર્મના બંધનેજ મેળવાય
ક્યો મળે છે દેહ જીવને,તે જીવની લાયકાત કહેવાય
વાણી વર્તનને સંબંધ દેહથી,સંસ્કારથી જ  મેળવાય
એજ અનંતલીલા પ્રભુની,અવનીએ આવતાં દેખાય
.                    ………………..ના કોઇથી જગે પકડાય.
આશીર્વાદની હેલી વરસે,જે આનંદ જીવને દઈ જાય
સ્નેહી સાંકળ જગમાંન્યારી,લાયકાતે દેહથીમેળવાય
મળેલ પ્રેમ અંતરથી દેહને,અનંત શાંન્તિજ દઈ જાય
આજકાલની નારામાયણ,જેને સ્નેહી સાંકળ મળીજાય
.                     ………………..ના કોઇથી જગે પકડાય.

++++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment