સ્નેહી સાંકળ
. .સ્નેહી સાંકળ
તાઃ૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી જગે પકડાય,કે ના કોઇથીય તેને છોડાય
જીવનેમળે સ્પંદનદેહથી,એ સ્નેહની સાંકળ કહેવાય
. ……………….ના કોઇથી જગે પકડાય.
અવનીપરના આગમનને,કર્મના બંધનેજ મેળવાય
ક્યો મળે છે દેહ જીવને,તે જીવની લાયકાત કહેવાય
વાણી વર્તનને સંબંધ દેહથી,સંસ્કારથી જ મેળવાય
એજ અનંતલીલા પ્રભુની,અવનીએ આવતાં દેખાય
. ………………..ના કોઇથી જગે પકડાય.
આશીર્વાદની હેલી વરસે,જે આનંદ જીવને દઈ જાય
સ્નેહી સાંકળ જગમાંન્યારી,લાયકાતે દેહથીમેળવાય
મળેલ પ્રેમ અંતરથી દેહને,અનંત શાંન્તિજ દઈ જાય
આજકાલની નારામાયણ,જેને સ્નેહી સાંકળ મળીજાય
. ………………..ના કોઇથી જગે પકડાય.
++++++++++++++++++++++++++++++++++++=