અંધારી રાત
. .અંધારી રાત
તાઃ૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંધકારમાં જ્યાં નૈયા ચાલે,ના રાહ સાચી મેળવાય
અહીંતહીં ભટકી ચાલતાદેહે,આ જીંદગી વેડફાઇજાય
. ………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
શાંન્તિશોધવા જ્યાંદીવો લીધો,ત્યાં અગ્નિ ભડકી જાય
નાઆવી આરાધના કરેલી,જ્યાં દેખાવની ભક્તિ થાય
લાગણી મોહને માયા વળગી,જીવની રાહ ખોવાઇ ગઈ
નિર્મળતાનો સાગર છુટતાં,જીવનેઅંધારીરાત મળીગઈ
. ………………..અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
માનવી મનને નિર્મળ શાંન્તિ,સાચી ભક્તિએ મળી જાય
શીતળતાનો સહવાસમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવે ઉજાસ જીવનમાંસાચો,જીવને મુક્તિમાર્ગ મળીજાય
પરમાત્માની અસીમ કૃપાએ જ,અંધારી રાત ઉજળી થાય
. …………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
======================================