વૈભવ
. .વૈભવ
તાઃ૯/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી જાય મનથી માગેલુ,જો જીવનમાં એક જ વાર
શાંન્તિ સુખને શરણે જાતાં,વૈભવની વર્ષા થઈ જાય
. ………………… મળી જાય મનથી માગેલુ.
ક્યાંથી ક્યાં મન લઈ જાય દેહને,ના માનવીને સમજાય
મળતી માયા ભાગે દુર જીવનમાં,ના કોઇથીય પકડાય
અણસાર દેહને મળે મનથી,જે સમજદારને જ સમજાય
મળેવૈભવ અવનીએ જીવને,જે કળીયુગેલબદાવી જાય
. …………………મળી જાય મનથી માગેલુ.
મળી જાય પ્રેમ જલાસાંઇનો,જે નિર્મળ ભક્તિ દઈ જાય
સાર્થકજીવન જીવી જવાને,અંતરથીજ વંદન પણ થાય
પળપળનો સંકેતમળે કળીયુગે,જેજીવનેરાહ આપીજાય
ધનવૈભવને બારણે મુકતાં,નામોહ કળીયુગનોઅથડાય
. …………………મળી જાય મનથી માગેલુ.
=======================================