June 15th 2012

સંબંધ

.                        સંબંધ

તાઃ૧૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધની સાંકળ છે ન્યારી,ના કોઇ જીવથી છોડાય
લોહીનો સંબંધ જકડી રાખે,બીજો ક્યારેકછુટી જાય
.                        ………………સંબંધની સાંકળ છે ન્યારી.
જન્મમળે જીવને અવનીએ,જન્મ મરણથીએ સંધાય
માનવદેહ બને અંતીમ જીવનો,જે કર્મબંધને જોડાય
પરમાત્માના પ્રેમને પામતા,મોક્ષ જીવને મળી જાય
જન્મમરણનાસંબંધછુટે,જીવનો ઉધ્ધર થયો કહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.
માબાપની પ્રેમ જ્યોત મળે,ને સંતાન થઈને જીવાય
લોહીની આ કડી એવી ન્યારી,ના કુટુંબમાંથી છટકાય
પ્રેમનાસંબંધમાં જ્યાંકાતરફરે,તો અળગા થઇજવાય
કદી જીવનમાં ના મળે પ્રેમ,જેને કર્મનાબંધનકહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment