સંબંધ
. સંબંધ
તાઃ૧૫/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધની સાંકળ છે ન્યારી,ના કોઇ જીવથી છોડાય
લોહીનો સંબંધ જકડી રાખે,બીજો ક્યારેકછુટી જાય
. ………………સંબંધની સાંકળ છે ન્યારી.
જન્મમળે જીવને અવનીએ,જન્મ મરણથીએ સંધાય
માનવદેહ બને અંતીમ જીવનો,જે કર્મબંધને જોડાય
પરમાત્માના પ્રેમને પામતા,મોક્ષ જીવને મળી જાય
જન્મમરણનાસંબંધછુટે,જીવનો ઉધ્ધર થયો કહેવાય
. ………………સંબંધની સાંકળ છે ન્યારી.
માબાપની પ્રેમ જ્યોત મળે,ને સંતાન થઈને જીવાય
લોહીની આ કડી એવી ન્યારી,ના કુટુંબમાંથી છટકાય
પ્રેમનાસંબંધમાં જ્યાંકાતરફરે,તો અળગા થઇજવાય
કદી જીવનમાં ના મળે પ્રેમ,જેને કર્મનાબંધનકહેવાય
. ………………સંબંધની સાંકળ છે ન્યારી.
+++++++++++++++++++++++++++++++++++=