બચાવો
. બચાવો
તાઃ૧૬/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. .પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્ય દેહ આપી જીવને કર્મના
બંધનથી જન્મની પરંપરા કે પછી મુક્તિ મેળવવાની તક આપી છે.
આ સાંકળમાંથી બહાર નિકળવાની ઇચ્છા હોય તો કોઇપણ યુગમાં
સાચી ભક્તિ જીવને બચાવે છે.
* જીવે કરેલ કર્મ એજ તેની તિજોરી છે.
* દરેક દેહે જીવન દરમ્યાન મહેનત કરવી જ પડે છે.મહેનતના
. ફળ રૂપે તેને જરૂરીયાત મળે છે.
* પશુ પક્ષી અને પ્રાણીએ દુનીયામાં આધારીત દેહ છે.જેને બીજા
. પર આધાર રાખવો પડે છે.
* મનુષ્ય દેહ એ પરમાત્માની અસીમ કૃપાએ મળે છે.જે કર્મના
. બંધનમાં બંધાવે યા તેમાંથી મુક્તિ કરાવી શકે છે.
* દરેક પળને સાચવીને સત્કર્મોનો સાથ મેળવી જીવન જીવતાં
. દેહનો અંત પરમાત્માના હાથમાં જ છે તે વિશ્વાસ એ કૃપા છે.
* કળીયુગમાં દેખાવની ભક્તિ કે પહેરવેશ એ જીવને કર્મમાં જકડી
. રાખી જીવને દેહ મળતા જ રહે છે કારણ તે મુક્તિથી દુર છે.
* અંતરમાં વિશ્વાસ અને નિર્મળ સ્વભાવ એ વડીલને વંદનની રાહ
. આપે છે.
* ઉંમરનો સંબંધ જન્મ મળેલા દરેક જીવને છે.પણ લાયકાતે જ
. તેને વંદન અને પ્રણામ મળે છે.
++++++++++++++++++++++++++++++++++++++++++