શિવરાત્રી
.
.
.
.
.
.
.
.
. શિવરાત્રી
તાઃ૧૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં,મન મારુ હરખાય
શિવરાત્રીનો આનંદ માણતાં,સૌ ભક્તો રાજી થાય
. …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ૐ નમઃ શિવાયના એક જાપથી,જીવને આનંદ થાય
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,શાંન્તિ સદા મળી જાય
ગજાનંદનીકલમ ચાલતાં,જીવનોજન્મસફળથઈજાય
મોહમાયાની ચાદર છુટતાં,દેહે પાવન કર્મ મળી જાય
. ………………….પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ભક્તિનો સંગાથ જીવનમાં,જીવની પળે પળ સચવાય
અંતરમાં આનંદ અનેરો ,ના જગતે ક્યાંયથી મેળવાય
શિવપિતા ને માતા પાર્વતીની,કૃપાએ સ્નેહ મળી જાય
જન્મસફળની કેડીમળતાં,જીવના ભવોભવ સુધરીજાય
. …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
=====================================