સરળતા
. .સરળતા
તાઃ૨૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમનને મળે વ્યાધીઓ,ના કોઇથી્ય ગણી શકાય
સરળતાની એક કેડી મળીજાય,જ્યાં ભક્તિ સાચી થાય
. …………………માનવમનને મળે વ્યાધીઓ.
કર્મના બંધન જીવને જકડે,અવનીએ દેહોજ મળી જાય
કયો દેહ ક્યારે મળશે ,એ જગતમાંકોઇથી ના સમજાય
મંદીર મસ્જીદની ફરાફરથી,ના જીવથી મુક્તિ મેળવાય
શ્રધ્ધાસાચી રાખતા હૈયે,અંતરથી ભક્તિસાચીમળીજાય
. ………………….માનવમનને મળે વ્યાધીઓ.
સત્કર્મોની સરળ છે સીડી,પાવનકર્મના બંધને મેળવાય
સ્વાર્થમોહને માળીએ મુકતાંજ,મુંઝવણો ભાગતી દેખાય
અંતઆવશે દેહનોઅવનીએ,જ્યાંજીવનેજ્યોત મળીજાય
પ્રકાશમળતાં જીવનેઆજન્મે,પ્રભુમોક્ષનાદ્વાર ખોલીજાય
. …………………માનવમનને મળે વ્યાધીઓ.
……………………………………………………………