પડી લાકડી
. .પડી લાકડી
તાઃ૨૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારીની સાંકળ ન્યારી,જીવને સદાએ જકડી જાય
પડે લાકડી પરમાત્માની,જ્યાં જીવ ઉંધા રસ્તે જાય
. ………………સંસારીની સાંકળ ન્યારી.
માનવતાની મહેંક મળે,જ્યાં માનવ થઈને જીવાય
સરળતાના વાદળ વરસે,ના વ્યાધી કોઇ મળીજાય
પરમાત્માની કૃપાની કેડી,સાચી ભક્તિએ મેળવાય
નિર્મળતાને સ્નેહ મળેદેહને,એજ પ્રભુપ્રીત કહેવાય
. ……………….સંસારીની સાંકળ ન્યારી.
કળીયુગ કેરી કેડીનાની,ના માનવીથી એ પરખાય
ક્યારે ક્યાં લઈ નાખીદે,એતો સમયે જીવને દેખાય
કર્મનીખોટી રાહમળેત્યાં,કુદરતની લાકડીપડીજાય
દુઃખ સાગરની વર્ષા થાય,ત્યારે જીવને એ સમજાય
. …………………સંસારીની સાંકળ ન્યારી.
************************************************