September 18th 2013

લાગણીની કેડી

.                     . લાગણીની કેડી

તાઃ૧૮/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી,જીવનમાં સરળતા આપતી જાય
સરળ જીવનમાં નિર્મળપ્રેમે,સાચી લાગણીની કેડી મળી જાય
.                       …………………..શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
કર્મ જીવના બંધન છે જગે,અવનીપરના અવતરણ કહેવાય
મોહમાયા એ ચાદર છે કળીયુગની,જીવને એજ જકડતી જાય
માનવમન તો મર્કટ જેવું,જ્યાં ત્યાં એ લાલચે લટકાવી જાય
લાગણીની કેડી સમજીને પકડતાં,ના જીવ અહીંતહીં ભટકાય
.                     …………………… શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
અવનીપરનુ આગમન એદેહ બનેછે,જે શરીર મળતા દેખાય
કર્મનાબંધન તો અતુટ છે,એ લાગણીમોહથી જ જકડાઇ જાય
સાચીભક્તિ એ જ્યોતજીવની,જલાસાંઇની દ્રષ્ટિએજ લેવાય
મળી જાય જ્યાં કૃપા પ્રભુની,જન્મમરણના બંધન છુટી જાય
.                     …………………….શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.

=‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌===+++++++++===========++++++++=====

September 17th 2013

ત્રિશુળધારી

Pitaji Shivaji

 

 

 

 

 

 

 

 

 

 

 

.                      .ત્રિશુળધારી

તાઃ૧૭//૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ત્રિશુળધારી છે અંતરયામી,માતા પાર્વતીના એ ભરથાર
અજબશક્તિશાળી છે દુનીયામાં,સાચીભક્તિ એ સમજાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
શિવજી ભોળા ને અતિ દયાળુ,ૐ નમઃશિવાયથી જ પુંજાય
સોમવારની શીતળ સવારે,પુંજન કરતા શિવજી રાજી થાય
ગજાનંદના વ્હાલાપિતા,ને મેલી શક્તિઓને એભગાડી જાય
મોહમાયાની ચાદરને હટાવીને,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
ભોળાનાથ છે અતિ દયાળુ,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજન થાય
માતા પાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપપર માની કૃપા થઇ જાય
જીવનેસાચીરાહ મળતા કૃપાએ,અવનીનાબંધન છુટતા જાય
મળે પ્રેમ જ્યાં પરમાત્માનો જીવને,જન્મ મરણ ને ટાળી જાય
.                      …………………….ત્રિશુળધારી છે અંતરયામી.

====================================

 

 

September 15th 2013

અવની

.                       અવની

તાઃ૧૫/૯/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના,ના સમજ આવે કોઇને અહીં
જન્મમરણએ જીવનાબંધન,અવનીએ આવીસમજાય ભઇ
.                    ………………….ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
અપારલીલા કુદરતની જગે,જીવને કર્મની કેડી મળે છે અહીં
મોહમાયાને વળગી ચાલતા,જીવને જન્મબંધન મળેજ  ભઈ
સતકર્મોને સમજીને જીવતા,પાવન રાહ ની કેડીજ  સંગે થઈ
મુક્તિમાર્ગની રાહ મળેછે જીવને,જ્યાં ભક્તિસાચી થતી ગઈ
.                  ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
સ્વર્ગ નર્કના દ્વાર છે ખુલ્લા,જ્યાંરે જીવ દેહ છોડી જાયછે અહીં
સાચી જલાસાંઇની ભક્તિ કરતાં,સ્વર્ગના દ્વાર ખોલાયછે ભઈ
કર્મનીકેડી કળીયુગી રહેતા,જીવને નર્કના દ્વાર આવકારે તહીં
આગમન અવનીપરનું જીવનું,કર્મનુ બંધન કહેવાય છે ભઈ
.                    ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.

+++++++++++++++++++++++++++++++++++++++

September 14th 2013

સરળતાની સાંકળ

.                 .સરળતાની સાંકળ

તાઃ૧૪/૯/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનની સાંકળ મળતાં,જીવન પાવનથાય
કર્મની કેડી નિર્મળ બનતાં,સુખ શાંન્તિય મળી જાય
.         …………………સરળ જીવનની સાંકળ મળતાં.
કુદરતની છે આ અદભુતલીલા,નાકોઇ જીવને સમજાય
અવનીપરના આગમનને,કર્મને નિમીત બનાવી જાય
વાણી વર્તન સંબંધ બને ,જે ભક્તિને સંગે છે સચવાય
કૃપામળે શ્રીજલાસાંઇની,જીવથી પાવનરાહ મેળવાય
.          ………………..સરળ જીવનની સાંકળ મળતાં.
લાગણી મોહને દુર રાખતા,આ જીવન સરળ થઈ જાય
પામી લેતા પ્રેમ પરમાત્માનો,જીવનમાં શાંન્તિ થાય
મળેલ માયા જીવને જીવોની,એકર્મનીકેડી છે કહેવાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,જન્મમરણ છુટી જાય
.         …………………સરળ જીવનની સાંકળ મળતાં.

====================================

 

 

September 14th 2013

પવનપુત્ર

.                         .પવનપુત્ર          

તાઃ૧૪/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવમન જકડાઇ જતાં,જીવનમાં ઝંઝટ મળતી થઈ
પવનપુત્રની નજર પડતાં,બધી વ્યાધીઓ ભાગી ગઈ
.                     …………………માનવમન જકડાઇ જતાં.
નજર મળે જ્યાં મેલી જીવનમાં,પાવન રાહ છુટી જાય
મળે ના રાહ જીવનને સાચી,જ્યાં કર્મ વાંકા થઈ જાય
અપેક્ષાની ના કોઇ કેડી રહે,જીવ અહીં તહીં ભટકી જાય
સંકટમોચકને ભજીલેતાં,આવતી વ્યાધીઓ ભાગીજાય
.                   …………………..માનવમન જકડાઇ જતાં.
પવનપુત્ર છે અતિ દયાળુ,જ્યાં પ્રેમથી રામભક્તિ થાય
આવી આંગણે રહે ભક્તને,ના કોઇ મેલી શક્તિય ભટકાય
નિર્મળતાના વાદળ વર્ષે,જીવને રાહભક્તિની મળી જાય
બજરંગબલીની છે અજબ શક્તિ,ના કોઇથી એને વિધાય
.                  …………………..માનવમન જકડાઇ જતાં.

======શ્રી રામ=======શ્રી રામ=======શ્રી રામ.==

September 11th 2013

भक्ति ज्योत

                Shri Mridul Krishan Goswami

 Mrudal krishanji maharaj

                           . भक्ति  ज्योत

ताः११/९/२०१३                              प्रदीप ब्रह्मभट्ट

भक्ति प्रेमकी ज्योत लेकर,ह्युस्टन आये  श्रीमृदुलजी आज
प्रेमभावना  भक्तोकी  देखकर,श्री कृष्णकी कृपा  हो गई आज
.                                  ……………..भक्ति प्रेमकी ज्योत लेकर.
अनंतआनंद होगा सबको,जब मृदुलजीकी कथा सुनेंगे  साथ
भक्तिभावना कथासे देकर,करेंगे सच्ची  भक्तिका गुणगान
कलीयुगकी चादरको छुडाके,लेजायेंगे भक्तोको प्रभुके द्वार
निर्मलताका सहवास दीलाके,कर जायेंगे जीवोका कल्याण
.                                 ……………..भक्ति प्रेमकी ज्योत लेकर.
मिलेगी शांन्ति भक्तिसे जीवोको,ना जगमे है कोइ देनार
अपार कृपा हो अवीनाशीकी,जहां प्रेमसे ये कथा सुनी जाय
अंतरमें आनंद रहे जीवको,और  मनमें शांन्ति  रहे अपार
तनमनधनसे  कृपा रहे देवकीनंदनकी,उज्वळ जीवन थाय
.                              ……………….भक्ति प्रेमकी ज्योत लेकर.

*********************************************************

.          .ह्युस्टनके  भक्तोकी  विनंती सुनकर  देवकीनंदन श्री  कृष्णकी कृपा हुइ
और महान कथाकारश्री  मृदुल कृष्ण  गोस्वामीजी  महाराज  हमारे ह्युस्टनमें पधारे  है
हम सब राधाकृष्ण मंदीरके भक्तो प्रेमसे  उनका  स्वागत करते है.  सब भक्तोकी  औरसे
ये यादगीरी दी  जा रही है  प्रेम से स्वीकारके आशिर्वाद देना ये  हमारी अपेक्षा सहित वंदन.
ली.प्रदीप ब्रह्मभट्ट  और बांके बिहारी  परिवारके साथ सौ  श्री कृष्ण  भक्तोकी  याद.

ताः११/९/२०१३                                                   ह्युस्टन,टेक्षास,यु.एस.ए.

September 10th 2013

જીવન જ્યોત

.                  જીવન જ્યોત   

તાઃ૧૦/૯/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મથી શીતળ સ્નેહ મળે,ના માગણી જીવનમાં કોઇ થાય
લાયકાતની કેડી મળે કૃપાએ,જે સાચી ભક્તિએ સચવાય
.                    …………………..કર્મથી શીતળ સ્નેહ મળે.
અવનીપર જ્યાં આવે જીવ,ત્યાં સૃષ્ટિ કુદરતની દેખાય
મળે દેહ  જે જીવને,એ જ તેના કર્મના બંધન છે કહેવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
ભક્તિની સાચીસાંકળ પકડાતા,ના અહીંતહીં એ ભટકાય
.                     ………………….કર્મથી શીતળ સ્નેહ મળે.
જીવને મળેલ સાચી જ્યોત,દેહને પવિત્ર માર્ગે લઈ જાય
સરળ જીવનમાં પ્રભુકૃપાએ,સૌનો સાચો સાથ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવનકર્મ જીવનમાં થાય
આધી વ્યાધીને આંબી લેવા,જીવે જલાસાંઇની કૃપા થાય
.               ……………………….કર્મથી શીતળ સ્નેહ મળે.

====================================

September 8th 2013

જીવનો સંબંધ

.                 જીવનો સંબંધ

તાઃ૮/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના દેહ મળે અવનીએ જીવને,કે ના કોઇ સંબંધ બંધાય
મોહમાયા ની ચાદર છોડતા,અવનીની રાહ છુટી જાય
.             …………………..ના દેહ મળે અવનીએ જીવને.
જીવને સંબંધ જન્મથી મળે,જે અવનીએ જકડાઇ જાય
મળતા બંધનને દુર રાખતા,સમયે જીવને એ સમજાય
પરમાત્માની સાચીભક્તિ,જે દેહ થકી જીવને મળીજાય
યુગની કેડી એ જગનીલીલા,પામર જીવનથી મેળવાય
.              …………………..ના દેહ મળે અવનીએ જીવને.
કરેલ કર્મ છે કેડી જીવની,અવનીના અવતરણથી દેખાય
મુક્તિકેરા માર્ગનેપામવા,જલાસાંઇની ભક્તિસાચી થાય
મળેલ બંધનને છોડવા જીવે,ભક્તિ જ્યોતને વંદન થાય
સમયસાચવી ચાલતા અંતે,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
.            ……………………ના દેહ મળે અવનીએ જીવને.

====================================

 

 

September 7th 2013

મજદુર

.                          .મજદુર

તાઃ૭/૯/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણીગણીને જીવન જીવતો,આવી ગયો અમેરીકા અહીં
માયાની નાકેડી મને,ફક્ત ભણતર સંતાનને દેવા ભઈ
.                    …………………ભણીગણીને જીવન જીવતો.
ખુર્શી ટેબલ છોડીને આવતાં,ત્યાંના ભણતરને નાપુછે અહીં
મજદુર બનીને જીવન જીવતાં,લારીઓ ખેંચતો થયો અહીં
ઉંમરનીઅહીં બીક સહુને,ઘેર બેસે ત્યારે પૈસાદેવા પડે ભઈ
નોકર બનીને અહીંમહેનત કરતાં,મજદુર તમે બનો છો અહીં
.                 ……………………ભણીગણીને જીવન જીવતો.
કેડી મળે જ્યાં ભણતરની,જે બચપણમાં જ મેળવાય અહીં
જ્ઞાનનીકેડી પકડી ચાલતાં,ઉજ્વળરાહ તમનેમળે છે અહીં
નિરાધારને આધાર મળતા,માબાપને રીટાયર્ડ કરે છે ભઇ
મહેમાન બનાવીને લાગણી દેતા,સંતાન દુર ગયા છે અહીં
.                …………………….ભણીગણીને જીવન જીવતો.

====================================

September 6th 2013

અંતિમ ઇચ્છા

.                    અંતિમ ઇચ્છા  

તાઃ૬/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા છોકરાં ને મારી વ્હાલીવહુ,કેવી રીતે હુ છોડી જઉ સૌ
પ્રેમનીકેડી પકડીલેતા,નાછુટશે આદેહ એમ મને સૌ કહેતા
.            …………………… મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
માયા મળેલ જીવને અવનીએ,એજ બંધન આપતી જાય
જન્મ મૃત્યુનો સંબંધ છે જીવનો,ના જગે કોઇથીય છટકાય
સંસારી હોય કે સંત અવનીએ,એજ જીવની પકડ કહેવાય
કર્મની ઉજ્વળકેડી નામળતા,જીવને અવતરણ મળીજાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
કુદરતની આઅતુટલીલા,જીવ સ્વાર્થભર્યા સંસારે લબદાય
દેહ મળતા જીવને ધરતીએ,નિર્મળતા દુર ભાગતી દેખાય
વર્તન વાણી એ છે પ્રકૃતી દેહની,જીવને એજ જકડતી જાય
અંતિમ ઇચ્છા જીવનીસાચી,જે નિર્મળ ભક્તિથી મળી જાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.

+++++++++++++++++++++++++++++++++++++++

 

 

« Previous PageNext Page »