June 19th 2017
...
...
. .સગપણ
તાઃ૧૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================
No comments yet.