શેરડી વાસી
. .શેરડી વાસી
તાઃ૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપા શ્રી ભોલેનાથની કહેવાય,જે સાંઇબાબાથી શેરડી પધારી જાય પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જેમને શેરડીમાં દ્વારકામાઈ મળી જાય .....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય. જગતમાં પવિત્રધર્મ એ શ્રધ્ધા છે,જે મળેલદેહને શ્રધ્ધાસબુરીથી સમજાય હિંદુમુસ્લીમ એ દેહને સંબંધ અવનીપર,એ જીવને સમયેજ મળતો જાય માનવદેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર ભાવનાએજ પ્રેમ અપાય ભગવાન ભોલેનાથની પવિત્રકૃપા થઈ,જે સાંઇબાબાના દેહથી આવીજાય .....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય. મહારાષ્ટ્રના પાથરી ગામથી સમયે શેરડી આવ્યા,જ્યાં નિરાધાર કહેવાય પવિત્ર દ્વારકામાઈની કૃપા મળી,પવિત્રરાહે એ સાંઈબાબાથી ઓળખાય ના માન કે ના અભિમાન દેહને મળે,જે બાબાની પાવનરાહે કૃપા થાય સરળજીવનનો સંગાથ મળે,જે હિંદુમુસ્લીમ ધર્મની નાઅડચણ આપીજાય .....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય. ****************************************************************