March 24th 2021
. .માતા અંજની સંતાન
તાઃ૨૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશ્રધ્ધાએ પ્રાર્થના કરતા,માતા અંજની સંતાન પ્રેરણા આપી જાય
પવિત્ર ભાવનાથી વંદન કરતા શ્રીરામને,બજરંગબલી હનુમાન કહેવાય
.....એવા લાડલા હનુમાજીનેનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
સમયની સંગે ચાલતા જીવનમાં,પરમાત્મા શ્રીરામના લાડલા થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા મળતા,જીવનમા પરમશક્તિના દર્શનથાય
અયોધ્યામાં લીધેલ પવિત્રદેહ શ્રીરામનો,સંગે પત્ની સીતાજી મળી જાય
સીતારામના લાડલા ભક્ત શ્રી હનુમાન,કૃપાએ પરમ શક્તિશાળી થાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
શ્રીરામના પત્નિ સીતાને ઉઠાવી જાય,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળેલદેહમાં શ્રીરામને તકલીફપડી,જે ભાઈ લક્ષ્મણને બેહોશ કરી જાય
શ્રધ્ધારાખી હનુમાન ઉડીને,સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણને બચાવીજાય
નાકોઇ અપેક્ષા રાખી હતી,એ સીતાજીને શોધી રાવણનુ દહન કરીજાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments yet.