પવિત્ર સંતાન
## ##
. .પવિત્ર સંતાન તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ માતા અંજનીના લાડલા સંતાન,જગતમા શ્રીરામના ભક્ત હનુમાન કહેવાય અવનીપરના આગમનથીજ બોલાવાય,એજ પવનદેવના પુત્રથીય ઓળખાય ....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય. પવિત્ર આશિવાદ મળે પરમાત્માના દેહને,જે અજબશક્તિથી મદદ કરી જાય રાજા દશરથના સંતાન શ્રીરામ કહેવાય,પત્નિ સીતાને હનુમાન બચાવી જાય આકાશમાં ઉડીને શોધીલાવ્યા સીતાજીને,જે આવીને પ્રભુશ્રીરામને કહી જાય લંકાના રાજારાવણના દુશ્કર્મને પકડી,રામભક્ત હનુમાન રાવણનુ દહ કરીજાય ....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય. પવિત્રસંતાન માતાઅંજનીના ને પિતાપવનપુત્ર,ભારતની ધરતી પવિત્ર કરી જાય જગતમાં એ બજરંગબલી પણ કહેવાય,સમયે એસુવર્ચલાના પતિદેવ પણ થાય હિંદુધર્મમાં અજબશક્તિશાળી દેહ છે,જે જગતમાં રામભક્તથી પણ ઓળખાય સવારમાં ઉઠીને પુંજા કરતા હનુમાનને,ૐ હં હનુમંતે નમો નમઃથી વંદન કરાય ....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય. ####################################################################