અંજનીના સંતાન
. .અંજનીના સંતાન તાઃ૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જયહનુમાન જયહનુમાન એ રામભક્ત,જે માતા અંજનીના લાડલા સંતાન પિતા પવનદેવનાય પુત્ર જગતમાં,જે મહાવીર બજરંગબલીથીય ઓળખાય ....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય. પવિત્રદેહ મળ્યો માતા અંજનીની કૃપાએ,એ પવનદેવના પ્રેમથી જન્મીજાય કુદરતની પાવનકેડી પકડી જીવનમાં,જે પ્રભુએ લીધેલદેહ શ્રીરામનો કહેવાય અવનીપર આફતઅડીં શ્રીરામને,જે ભાઇ લક્ષ્મણને બેહોશ થતાજ સમજાય પવિત્રશક્તિશાળી હનુમાને કૃપાકરી,જે ઉડીને સંજીવની લાવી બચાવી જાય ....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય. મળેલ માનવદેહથી જીવનમાં મદદકરી,એ રાજા દશરથના દીકરાથી મેળવાય પવનદેવની કૃપા એ ઉડીને ગયા,જ્યાં શ્રીરામની પત્ની સીતાને શોધી લવાય પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જેમને મહાવીરનો સાથ જીવનમાં મળી જાય હનુમાન શ્રીરામ,લક્ષ્મણને ઉડાવી લાવી,રાજા રાવણનુ એ દહનપણ કરી જાય ....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય. =================================================================