April 8th 2021

જોગી જલીયાણ

###Jalaram jyot - Posts | Facebook###

.         .જોગી જલીયાણ  

તાઃ૮/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્રરાહ મળી,જ્યાં પરમાત્માની કૃપા થાય 
મળેલ માનવદેહને સત્કર્મનો સાથ મળે,એ વિરબાઈનો સંગાથ થાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
વિરપુરમાં પવિત્રદેહ મળ્યો,જે માતા રાજમાઈને પિતા પ્રધાનથી મળે
જગતમાં ઠક્કર કુળને પવિત્ર કરવા,જીવનમાં પ્રભુની કૃપા મળી જાય 
સત્કર્મનો સંગાથ મળ્યો પવિત્રરાહે,જે કાકાની દુકાન એ ચલાવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર કર્મથી,પરમાત્માની પાવનકૃપા મેળવાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
પ્રભાતે પરમાત્માને વંદન કરતા,પવિત્રરાહે કર્મ થતા એ જોગી કહેવાય
ના અભિમાનની કોઇચાદરઅડે,કે નામોહમાયાની સાંકળપણ અડી જાય
જલારામનુ પવિત્ર નામ માબાપની કૃપાએ મળ્યુ,જે જગતમાંય સચવાય
પત્નિ વિરબાઈ એ પવિત્રજીવ હતો,જે શ્રધ્ધાએ પ્રભુની સેવાકરવા જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ જગતમાં,જે પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં પવિત્રભુમીજ ભારતછે,જ્યાં પ્રભુએ દેહલીધા જેમંદીરથી સમજાય
મળેલ માનવદેહપર કૃપા કરી પરમાત્માએ,જે ભક્તિની રાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરતા,જીવને દેહથી મુક્તિ મળી જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
##############################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment