April 15th 2021

સંત જલા સાંઇ

**जलाराम बापा या साईं बाबा | Vedanuragi** 
.          .સંત જલા સાંઈ 
તાઃ૧૫/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને પવિત્રદેહ મળ્યો વિરપુરમાં,જે ઠક્કર કુળને પવિત્ર કરી જાય
પવિત્રજીવે જન્મ લીધો પાથરી ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માકૃપાથી દેહ લઈ આવી જાય
વિરપુરમાં જન્મ લીધો રાજબાઈ માતાથી,પિતા પ્રધાનઠક્કર કહેવાય
જગતમાં માનવદેહને આંગળી ચીંધી,ભુખ્યાને ભોજનથી કૃપાકરીજાવ
પરમાત્માની કૃપા મળશે જીવને,જે દેહનાજીવને અંતે મુક્તિ દઈજાય 
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
જીવના જન્મને અવનીપર ધર્મ મળે,જે સમય સંગે ચાલતાજ સમજાય
માનવદેહને રાહ ચીંધવા માટે શેરડી આવ્યા,એ સાંઇથીજ ઓળખાય
દ્વારકામાઈની કૃપા મળી સાંઇબાબાને,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુ મુસ્લીમ ધર્મની ઓળખઆપી.એ શ્રધ્ધાશબુરીથી પવિત્ર થઈ જાય
... વિરપુરવસી જલારામ કહેવાય,અને શેરડીવાસીને સાંઇબાબા કહેવાય.
***********************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment