April 19th 2021

પવિત્ર પ્રેમ સાંકળ

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર થશે તમામ દુ:ખ - Moje Mastram

.          .પવિત્ર પ્રેમ સાંકળ 

 તાઃ૧૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય 
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment