April 20th 2021

સંબંધીઓનો સંગાથ


.સંબંધ · Incognito Inventions 
           .સંબંધીઓનો સંગાથ

તાઃ૨૦/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મૅળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા મળેલ દેહને,સંબંધીઓનો સંગાથ મળી જાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,જીવને વર્તનથી આવનજાવન આપી જાય
અનેકદેહથી જીવોને દેહમળે,જે પ્રાણી,પશુ,પક્ષી સંગે માનવદેહથી મેળવાય
જગતમાં ના કોઇ દેહથી જન્મ મરણથી છટકાય,એજ લીલા પ્રભુની કહેવાય
મનુષ્યદેહને સંબંધ પવિત્રરાહનો જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી કર્મ કરાવીજાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને જન્મ મળે,જે માબાપની ક્રુપાએ કુટુંબ આપી જાય
નીમિત બને માબાપ સંતાનના,જે દીકરા દીકરી આપી જીવને દેહ દઈ જાય
સરળ નિખાલસ પ્રેમ મળે સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવતા મેળવાય
ના કોઇ તકલીફ અડે દેહને,જ્યાં નિર્મળભાવનાથી જીવનમાં પ્રેમથી કર્મ કરાય   
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
##################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment