April 26th 2021
.મળ્યો પ્રેમ માતાનો
તાઃ૨૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
નિર્મળ ભાવના મળે ભારતમાં દેશમાં,એજ પવિત્રકૃપાજ ભગવાનની કહેવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
અવનીપરના આગમનને સમજીને જીવતા,દેહથી અનેકરીતે પવિત્રકર્મ કરાય
મળેલદેહને સમયનો સંબંધછે જીવનમાં,જે ઉંમરસંગે માનવીને જીવાડી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં પ્રભુને વંદન થાય,શ્રધ્ધાએ ઘરમાં પુંજન થાય
એ સમય છે મળેલદેહનો અવનીપર,જે પળપળને સાચવી માનવતા સચવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ જન્મ લીધો,જે દેવ અને દેવીઓથી મળી જાય
માતાના અનેક સ્વરૂપછે જે પુંજન કરી,વંદન કરતા દેહને સત્કર્મ કરાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા માતાની કૃપાજ મળે,સમયે પ્રભુને માળા કરીનેજ પુંજાય
અનેકદેહથી જન્મ લઈ પધાર્યા દેવીઓ,જે અનેક પવિત્ર તહેવારે કૃપા કરીજાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
#################################################################
No comments yet.