July 8th 2022
. પાવનપ્રેમ પ્રભુનો
તાઃ૮/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળેલ માનવદેહને,પ્રભુકૃપાએ કર્મનો સંબંધ મળી જાય
પંવિત્રકર્મની રાહમળે મળેલદેહને જીવનમાં,જ્યાં ભગવાનનીપાવનકૃપાથાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
જીવને સંબંધઅવનીપર અનેકદેહથી,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સમજણમળે,એદેહને અનુભવથીસમજાય
માયા મોહ અને લાગણીથી દુર રહેવા,પરમાત્માની પાવન કૃપા દેહપરથાય
પવિત્ર પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપને પ્રગટાવીનેજ આરતી કરાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
મળેલદેહના જીવને પ્રભુની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
કુદરતની પવિત્રલીલાનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે સમયને સમજીનેચલાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપાએ દેહથી પવિત્રકર્મ કરાય
પવિત્રકૃપાએ મળેલમાનવદેહના જીવને,પરમાત્માની કૃપાએ મુક્તિ મળીજાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.