ધનતેરસ
ધનતેરસ
તાઃ૪/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળજીવન મનનીશાંન્તિ,લક્ષ્મીકૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સરળ જીવનમાં,માને ધનતેરસે પુંજાય
……..એને સાચી ભક્તિ કહેવાય.
મળી જાય જો કરુણા માતાની,ભક્તિપ્રેમ થઇ જાય
સમય પકડી ચાલતાદેહને,નાવ્યાધી કોઇ અથડાય
લક્ષ્મી માતાની સેવા કરતાં,સાથે ગણેશજી પુંજાય
મળીજાય પ્રેમ કૃપાની સાથે,આ જન્મ સાર્થક થાય
……….એને સાચી ભક્તિ કહેવાય.
ધનતેરસની સંધ્યાટાણે,પંચામૃતથી સ્નાન કરાવાય
કંકુ ચોખાથી તીલક કરતાંતો,મા લક્ષ્મીજી રાજીથાય
કૃપા માતાની વરસે જીવપર,જે આ જીવનમાંદેખાય
મળે સરળતા જીવનમાં બધે,જ્યાં ભક્તિસાચી કરાય
………એને સાચી ભક્તિ કહેવાય.
**************************************