ભોલેનાથની જય
******
. ભોલેનાથની જય
તાઃ૧૧/૩/૨૦૨૧ (મહાશિવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ બમ બમ ભોલેનાથની જય,સંગે એ પાર્વતી પતિ મહાદેવ પણ કહેવાય પવિત્ર શક્તિશાળી એ દેવ છે,જે જગતમાં શંકરભગવાનથીય ઓળખાય ....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય. અજબ કૃપાળુ શંકર ભગવાન છે,અને સાથે માતા પાર્વતીનેય વંદન કરાય ભોળાનાથથીજ તેમની પુંજા થાય,શ્રધ્ધાથી શિવલીંગપર દુધની અર્ચના થાય પવિત્ર ગંગાનદી વહાવીભારતમાં,સંગે હિમાલયની દીકરીપાર્વતીને પરણીજાય મહાશિવરાત્રીના પવિત્ર દીવસે,શ્રી શંકરભગવાનની કૃપાપામવા પુંજન કરાય .....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય. ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ આવી જાય જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જેહિંદુધર્મની ભક્તિજ્યોત પ્રગટાવી જાય પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,એ એમના કુળની પવિત્રરાહથી દેખાય પાર્વતી માતાના લાડલાસંતાન શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાથી ઓળખાય .....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય. મળેલદેહના કુળને આગળ લઈ જવા,માબાપના પ્રેમથી સંતાનથી આવી જાય પવિત્રસંતાન શ્રીગણેશ તેમને જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી પત્નિથી મળી જાય ભોલેનાથના કાર્તિકેય બીજા પુત્ર થયા,અને અશોકસુંદરી દીકરીથી આવી જાય શંકર ભગવાન સંગે પત્નિ પાર્વતી,ભારતમાં દેહલઈ હિંદુધર્મને પાવન કરી જાય .....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય. #################################################################