દીનબંધુ ભગવાન
દીનબંધુ ભગવાન
તાઃ૨૮/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના અંધકારમાં, ઉજાસ જ્યાં મળી જાય
જગતપિતાની સૃષ્ટિ એવી,અપંગ પર્વત ચઢી જાય
……….અવની પરના અંધકારમાં.
ભક્તિનો સંગાથ મળતાંજ, અજવાળા પથરાઇ જાય
જીવજગતમાં પામરમટી,સ્નેહના વાદળે ઘેરાઇ જાય
આંધીનો અણકાર નામળે,ને વ્યાધીપણ છુપાઇ જાય
એકમેકના સંબંધ ભાગતા,જગમાં દીનબંધુ મળી જાય
……….અવની પરના અંધકારમાં.
જન્મ મૃત્યુ તો જગમાં સાચું, ના માનવ મને હું વાંચુ
સફળ સ્નેહની ઘેરી છાયામાં,માનવ બની ને હું નાચું
મળી જાય માબાપનો પ્રેમ,સાથે ભાઇભાંડુનો સહવાસ
અકળ જગતમાં પ્રેમ પ્રભુનો,જ્યાં દીનબંધુ થઇ જાય
………અવની પરના અંધકારમાં.
=====================================