December 11th 2009

इन्सानियत

                  इन्सानियत

ताः९/४/१९७४                      प्रदीप ब्रह्मभट्ट

पतझडमें जो पलता है,इन्सान वोही बनता है
खुशीयोका दामन नाछोडे,वो इन्सान कैसे होगा
                         ……..पतझडमें जो पलता.
खुशीयोमे जो आये,कैसे वो जीना सीख पाये
इन्सानोसे क्या होगा,कुछ काम नहीं करपाये
                         ………पतझडमें जो पलता.
खुदतो कुछ करपाते नहीं,दुसरोका वोक्या जाने
जगमें आया सही पर,धरमको कुछ ना जाने
                         ………पतझडमें जो पलता.
सुखके वो द्वारसे आये,दुःखसे वो दुर ही भागे
किनारोसे जो डरते है,बीच समंदर क्या जाये
                         ………पतझडमें जो पलता.

१११११११११११११११११११११११११११११११११११११११११११११११११११११

December 11th 2009

બહાનુ બગલમાં

                     બહાનુ બગલમાં

તાઃ૧૦/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બહાનુ બગલમાં રાખી,હું તો કરતો જગમાં કામ
સરળતા જ્યાં ચાલે સાથે,ત્યાં થતાં સૌના કામ
                      ………બહાનુ બગલમાં રાખી.
વિચાર કરવાની ના ટેવ,જ્યાં સ્વાર્થ મળી જાય
મારું મારું વળગીજતાં,ભાગમભાગે મન હરખાય
ઇર્ષા માયા જોઇ લેતાંજ,મન ત્યાંથી છટકી જાય
નાકામની વૃત્તિ વળગતાં,બહાનું જ વપરાઇ જાય
                    ………બહાનુ બગલમાં રાખી.
સગાંસંબંધીઓ દુર રહે,ના માનવતા પણ દેખાય
માબાપ કે ના ભાઇબહેન,જ્યાં સ્વાર્થ સીધો થાય
મુકી દેતા દેહનાબંધન,માનવતા પણ છટકીજાય
ના ઉભરો પ્રેમનો રહે,જ્યાં કોઇ બહાનું મળી જાય
                        ……..બહાનુ બગલમાં રાખી.
સારા કામ તો સતયુગમાં,ના કળીયુગમાં દેખાય
વિશ્વાસની એક ગાંઠપાકી,નિસ્વાર્થ ભાવનાવાળી
ડગલે પગલે સતેજ રહેતા,જીવન ના ભાગે પાછું
શંકાનો સહવાસ કળીયુગમાં,બહાને બહાનુ ચાલે.
                       ………બહાનુ બગલમાં રાખી.

())))))))))))))))))))૦૦૦૦૦૦૦૦૦(((((((((((((((((૦

December 11th 2009

ભક્તિનું માપ

                     ભક્તિનું માપ

તાઃ૧૦/૧૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવની કેટલી ભક્તિ જગમાં,કોઇથી ના કહેવાય
શ્રધ્ધાની ચાદર છે મોટી,જગે કોઇથી ના મપાય
                              ………જીવની કેટલી ભક્તિ. 
સંસારીની સરળતામાં,ભક્તિપ્રેમે ઉજ્વળ એદેખાય
લાગણી સ્નેહને માયા સાથે,પ્રભુ સ્મરણ થઇ જાય
મળેકૃપા ત્યાં અવનીધરની,જ્યાં સાચીભક્તિ થાય
આવે બારણે પરમ કૃપાળુ,ના ભગવું ક્યાંય દેખાય 
                              …….. જીવની કેટલી ભક્તિ.
મંદીરના ધંટારવ વાગે,ને ધુપદીપ અર્ચનપણ થાય
માયાનાબંધન તો જીવને,ક્યાંથી ભક્તિ સાચી થાય
કુદરતની આ કળા નિરાળી,જે દેહને તરતમળી જાય
ભક્તિ  ત્યાંથી ભાગે દુર,જે અનેક મંદીરોથી જ દેખાય
                              ………જીવની કેટલી ભક્તિ. 
અંતરમાં જ્યાં આનંદઉભરે,જીવને પણ શાંન્તિ થાય
ભક્તિ સાચી ત્યાં મળી જાય,જ્યાં અંતરથી સ્મરાય
જીવ મુક્તિને મળવા તરસે,જ્યાં જલાસાંઇ ભજાય
નામાયા વળગે નામોહ,ત્યાં જન્મ  સાર્થક થઇ જાય
                              ……….જીવની કેટલી ભક્તિ.

++++++++++++++++++++++++++++++++++