માળાનું મહત્વ
માળાનું મહત્વ
તાઃ૨૧/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા કરતાં,મળી ગયા જલારામ
સાંઇબાબાનું સ્મરણ કરતાં,જન્મ સફળ દેખાય
………રામનામની માળા કરતાં.
સંસાર થકી સહવાસમાં,ભક્તિ પ્રેમથી કરી લીધી
ઉજ્વળકુળના સંતાન થતાં,પરમાત્મા આવ્યા દ્વારે
વિરબાઇમાતાના સંસ્કાર,ને પવિત્રજીવનો સંગાથ
માગણી આવી જગત પર,ત્યાં પ્રભુને જીતી લીધા
………રામનામની માળા કરતાં.
ભક્તિ પ્રેમથી કરતાંકરતાં,માનવજીવન જીવીગયા
ના માયા મોહના બંધન,વળગે આવતા અવનીપર
અલ્લાહ ઇશ્વરની એક કડી,જે શ્રી સાંઇબાબાએ દીધી
પ્રેમની પાવક જ્વાળા પણ,શેરડી ગામે જાણી લીધી
……….રામનામની માળા કરતાં.
સાંઇબાબાની જીવન કડી, ના સંસારમાં કોઇને મળી
અવનીપર અવતારધર્યો,ના માબાપને કોઇએ દીઠા
દેહધરી માનવીનોઅવનીએ,રામરહીમને એક કીધા
ભક્તિસાચી કરતાંદેહથી,આત્માએ જગથી મુક્તિદીઠી
……….રામનામની માળા કરતાં.
@@@@@@@@@@@@@@@@@@@@@@@