February 5th 2010

દેહનુ આગમન

                       દેહનુ આગમન

તાઃ૫/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
                     ……..જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો  દેહના છે સંસ્કાર,ના કોઇથીજગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં  રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
                        ……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
                       ……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા  મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
                        ……….જન્મ મળેલા જીવને જગમાં.

###############################

February 5th 2010

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

February 5th 2010

વિસામો

                                વિસામો

તાઃ૪/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ,જ્યાં દિશાઓ સમજાય
મહેનત મનથી કરતાં ઘડપણે, વિસામો મળી જાય
                         ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
દેહના બંધન તુટે જગમાં,જ્યાં ભક્તિનો પ્રેમ મળે
જીવનની જ્યોત જલે, જે જગમાં પ્રેમ પકટાવી દે
પાવન કર્મ ને ઉજ્વળજીવન,પ્રભુનોપ્રેમ પામી લે
કર્મ અને ધર્મની સમજ, જીવને વિસામો આપી દે
                          ………ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
બાળપણ ને ઘડપણ એતો,જીવને નિર્દોષી જીવનદે
જુવાનીના અજવાળે રહેતા,પાવન જન્મ મળી રહે
ભક્તિનો સંગાથ લેતાં જગે,પ્રભુ કૃપા પણ સાથ દે
આધીવ્યાધી ના દેખાતા,જીવને વિસામો મળી રહે
                          ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.

_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

February 4th 2010

સેવાના કામ

                            સેવાના કામ

તાઃ૪/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ દામ ને છુટે લોભ મોહ,જ્યાં થાય સેવાના કામ
પરમાત્માની કૃપા મળે,ને જીવનો જન્મ સાર્થક થાય
                                      ………..નામ દામ ને છુટે લોભ.
નિત્ય સવારે પુંજન અર્ચન,દેહનો દીન ઉજ્વળ થાય
ભક્તિપ્રેમ જ્યાં સાથદે,ત્યાં સૌ કામ સરળ થઇ જાય
પાવન કર્મનો સથવારો મળે,ત્યાં મોહ માયા તો છુટે
અંત દેહનો સુધરી જાય,જ્યાં પરમાત્મા આવે પડખે
                                      ………નામ દામ ને છુટે લોભ.
જીવનના બંધન તો કર્મના,ને દેહનાબંધન છે જગના
કર્મનો મર્મ એ સમજ મનની,સેવાના કામે સુધારાય
અવનીપરના આગમનને,ઉજ્વળ સોપાન છે દેવાય
જ્યાં પરમાત્માને સમક્ષ રાખીને,સત્કર્મ જગમાં કરાય
                                      ……..નામ દામ ને છુટે લોભ.

====================================

February 4th 2010

અણસાર

                   અણસાર

તાઃ૩/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેલણ હાથમાં આવ્યું,ત્યાં રોટલી વણાઇ ગઇ
ને પેન હાથમાંઆવી,ત્યાં કવિતા લખાઇ ગઇ
સમજ મને ના પડી,ત્યાં  મુંઝવણ મળી ગઇ
અજબપ્રભુની લીલા,મને આજે સમજાઇ ગઇ

પ્રભાતે પ્રભુને ભજતાં,માતાનીમાયા મળી ગઇ
મહેનત મનથી કરતાં,પિતાની પ્રીત મળી ગઇ
ભક્તિ પ્રેમથીકરતાં,જલાસાંઇનીકૃપા મળી ગઇ
ને શ્રધ્ધા પ્રભુમાં રાખતાં,ઉજ્વળતા મળી ગઇ
આંગળીપકડી ગુરુજીની,ત્યાંમને રાહ મળી ગઇ

હ્યુસ્ટનમાંઆવતાંમને,સાહિત્યસરીતા મળી ગઇ
કલમ લેતા મને વિજયભાઇની પ્રીત મળી ગઇ
ગુજરાતી ગુજરાતીકરતાં મને સાઇટ મળી ગઇ
પગલીપગલી ચાલતામને નીસરણી મળી ગઇ

=================================

February 4th 2010

ભક્તોના રખેવાળ

                    ભક્તોના રખેવાળ

તાઃ૩/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં જ્યાં લાગે રંગ,હૈયુ અનંત છે હરખાય
સાચા સંતના શરણે રહેતા,જીવન પાવન થાય
                       ……… ભક્તિમાં જ્યાં લાગે રંગ.
શ્રધ્ધા રાખીને સંતમાં,પ્રભુ કૃપાને મેળવી લેવાય
જીવની ઉજ્વળતા પામવા,સાચુ શરણુ છે શોધાય
માયાનાબંધન તો દેહને,નેજીવને ભક્તિએ બંધાય
કામદામના મોહને મુકતાં,છે પ્રભુભક્તોના રખેવાળ
                      …………ભક્તિમાં જ્યાં લાગે રંગ.
સંતની ભક્તિ સાચી,જ્યાં પવિત્રતા સંગ નિર્મળપ્રેમ
માળા તિલક ને ભગવું,એમાં ના મળે ભક્તિ ના વ્હેણ
સંસારની કેડી પર ચાલતા, ભક્તિનો લઇને સહવાસ
તનથીમહેનત સેવામનથી,છેપ્રભુ ભક્તોના રખેવાળ
                          ………ભક્તિમાં જ્યાં લાગે રંગ.

*****************************************

February 3rd 2010

અહંમ મારો

                            અહંમ મારો

તાઃ૨/૨/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અહંમ મારો ઓગળી ગયો,જ્યાં પડી કુદરતની ઝાપટ
માનતો હું એકલો જ છુ હોશિયાર,બીજાબધા ના પાકટ
                           ……….અહંમ મારો ઓગળી ગયો.
કૉલરને તો ઉંચા રાખતો ચાલુ,ને ગળે પહેરતો હું ટાય
બુટ પહેરુ હું  ઉંચી એડીવાળા,ને પેન્ટ પહેરુ અમેરીકન
પટ્ટો કેડ પર ચામડાનો  બાંધુ,જાણે કોઇ મને ના પકડે 
માનું એમ કે હું જ લખું,ના બીજા કોઇમાં છે આવડત
                          …………અહંમ મારો ઓગળી ગયો.
નામતો મારું પ્રદીપ છે,પણ ના દીપ બનીને હું પ્રકટુ
અહંમ મારે આંગણે હું આંણુ,પણ શરમ મને ના આવે
આંખ મારી આજે ખુલી,જ્યાં સાચી સમજ મને આવી
સ્નેહી,સંબંધી અને મિત્રોને જોતાં,નમન કરુ ભઇ આજે
                            ……….અહંમ મારો ઓગળી ગયો.

++++++++++++++++++++++++++++++++++

February 3rd 2010

ભક્તિભાવ

                             ભક્તિભાવ

તાઃ૨/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જગમાં જીવને,મુક્તિમાર્ગ મળે અનેક
પરમાત્માની ત્યાં કૃપા મળે,જ્યાં ભક્તિભાવમાં ટેક
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
અજાણતાએ જો દેહે મોહ મળે,જે સમયે ભાગી જાય
માનવતાની ના મહેંક કોઇ,પુર્વ જન્મની દે એ સાથ
મળતી સાચીરાહ એને,જે જીવને મુક્તિએ લઇ જાય
સમયની વ્યાધી ભાગીચાલે,જ્યાં ભક્તિપ્રેમથી થાય
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
નિર્મળ પ્રેમ ને સાચોસ્નેહ,જીવન દેહને એ દઇ જાય
સરળતાનો સાથરહે જીવનમાં,ને પવિત્રજીવન થાય
ડગલે પગલે પ્રભુનોસાથ,દેહની આંગળી પકડી જાય
બચી જાય આ માનવ દેહ,ને ઉપાધીઓ  ભાગી જાય
                       ………..જન્મ મળતાં જગમાં જીવને.
ક્યારે ક્યાંની ના ચિંતા,જ્યાં સધળુ પાસે આવી જાય
જગતઆધારી અતિ દયાળુ,જે ભક્તિભાવે મળી જાય
માળાનો નામોહ રાખતાં,હરપળ હ્રદયથી સ્મરણ થાય
ના જીવને માયા વળગે, કે ના ધરતીએ આવવું  થાય
                        …………જન્મ મળતાં જગમાં જીવને.

==================================

February 2nd 2010

મહેનતનુ ફળ

                           મહેનતનુ ફળ

તાઃ૧/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનથી કરુ મનથી કરુ,જીવન ઉજ્વળ કરવા મથુ
શ્રધ્ધાનો સહારો રાખી,મહેનત હું તન મનથી કરુ
                      ……… તનથી કરુ મનથી કરુ.
વંદન હુ માબાપને કરુ,આશીર્વાદે પગલુ હુ ભરુ
સરળતાનો સહવાસ રહે,ને કામનિર્મળ બની રહે
પાવન પગલાં બનીરહે,જ્યાં વડીલોની કૃપામળે
સફળતાના બારણા ખુલે,મહેનત મનથી થઇ રહે
                     ………..તનથી કરુ મનથી કરુ.
ભણતરના દ્વાર ખોલતા, સદગુરુનો જ્યાં પ્રેમ મળે
સહવાસ ને સંગાથ સાચે,જીવન ઉજ્વળ બનીરહે
હૈયેથી મળેલ હેત તનને, સાર્થક જીવન કરીજ દે
મહેનત ખંતથી કરતાં,સાચી રાહ જીવન માણી લે
                         ………તનથી કરુ મનથી કરુ.
સંસારની સીડીએ ચાલતા,ડગલે ડગલુ સાચવી ભરે
નિરાશાની ના આશા કોઇ,સફળતા દ્વારે આવી મળે
જીવનની સરળતા સંગે,પ્રભુ ભક્તિમાં મન પણ રહે
મહેનત મનથીકરતાં,ના દમડીની માયા જીવે વળગે
                           ……… તનથી કરુ મનથી કરુ.
જીવનની કેડીએ ચાલવા,તન મનથી એ જીવી લીધી
સાચો રસ્તોદીધો માબાપે,ને ગુરુજીના મળ્યાઆશીર્વાદ
સંતથી મળ્યા સંસ્કાર જીવે,ને ભક્તિએ દીધા સોપાન
મહેનતની સાચીરીતમાણતા,મળ્યો જીવનેપાલનહાર
                             ……..તનથી કરુ મનથી કરુ.

==================================

February 2nd 2010

અભિષેક

                              અભિષેક

તાઃ૧/૨/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ ન્યારી,છે જીવન ઉજ્વળ કરનારી
સોમવારનો સુરજ ઉગતાં,પ્રભાતે પુષ્પ દુધથી થનારી
                              ………ભોલેનાથની ભક્તિ ન્યારી.
ભોલેનાથ તો જગતપિતા છે,જે મુક્તિ જીવને એ દેનારા
પ્રેમ ભાવથી પુંજન કરતાં,આ સફળ જન્મ પણ કરનારા
ધુપદીપ સંગે આરતીકરતાં,પળમાં જીવને શાંન્તિ દઇ દે
અભિષેક નાગેશ્વરનું કરતાં,મુક્તિના દરવાજાએ ખોલી દે
                              ……….ભોલેનાથની ભક્તિ ન્યારી.
માતા પાર્વતીની કૃપા મળે,જ્યાં ભોલેનાથની  પુંજા ફળે
ત્રિશુળધારી છે અતિદયાળુ,દેહના શત્રુઓનો એ નાશ કરે
દેહને જગમાં મુક્તિ મળે,જ્યાં ગંગાનું પવિત્ર અમૃત મળે
અભિષેકમાં આસ્થા રહેતા,જીવને જગનાફેરા ભક્તિએ ટળે
                            ………….ભોલેનાથની ભક્તિ ન્યારી.

===================================

« Previous PageNext Page »