June 22nd 2010

પ્રેમની ઓળખાણ

                    પ્રેમની ઓળખાણ

તાઃ૨૨/૬/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળે ત્યાં મળે પ્રેમ,જે અંતરથી ઓળખાય
પ્રેમની સાચી કેડીને જોતાં,માનવમન મલકાય
                      ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
માયાના બંધન તો સૌને,ના કોઇથી એ છોડાય
રાજા,રંક કે પ્રાણીપશુ,જગે સૌને એસ્પર્શી જાય
ઉજ્વળજીવન આવે આંગણે,પ્રેમ જ્યાં પરખાય
મનનેશાંન્તિ ને ટળેવ્યાધી,એજ જીવન કહેવાય
                       ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
આવે અચાનક વણ માગ્યો,ઉભરો પ્રેમનો દેખાય
સમયને પારખી સમજી લેતાં,ના એ વળગીજાય
મળે મોહની સંગે માયા,જે સમયથી ના અજાણ
આજેઆવી કાલેભાગે,ત્યાંપ્રેમની ઓળખાણ થાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.
લાગણીના સુર અલગ છે,જે સમયને દઇદે તાલ
આવેઅચાનક જાયઅચાનક,એ ભયાનક કહેવાય
સરળ જીવનમાં ખાડોબનતાં,જીવન ડગમગ થાય
કુદરતનીએકલપડાકે,સાચાપ્રેમની ઓળખાણથાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.

   +++++++++++++++++++++++++

June 21st 2010

જીવનો સહારો

                      જીવનો સહારો

તાઃ૨૧/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળા કુદરતની અતિ નિરાળી,જીવથી એ સમજાય
જન્મ મળતાં અવનીપર તેને,દેહથી પરખાઇ જાય
                   ……….કળા કુદરતની અતિ નિરાળી.
માનવ જન્મ મળતાં જીવને,અનેક સોપાનો દેખાય
જન્મને સાર્થક કરવા તેને,માર્ગ ઘણાય મળી જાય
ભક્તિમાર્ગને પકડી લેતાં,તો જન્મ સફળ થઇ જાય
કળીયુગની ભક્તિને છોડતાં,મનથી જ એ મેળવાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
દેહ મળે જ્યાં પ્રાણીનો,જીવને વ્યાધીઓ મળીજાય
ભુખતરસની ચિંતા એવી,નાબહાર તેનાથી અવાય
ડગલે પગલે  શોધરાખતાં,ડગમગ જીવનને જીવાય
ચેતનતાનો સંગછુટે ત્યાં,કોઇ માળો પણ તોડીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
ભક્તિનો એક સંગસાચો,જે માનવ દેહથી સમજાય
પળપળ પારખીચાલતાં,વ્યાધીઓ પણ અટકીજાય
મળીજાય સાચા સંતનો સંગ,તો પ્રભુકૃપા મેળવાય
જલાસાંઇની રાહ મેળવતાં,જીવને સહારો મળીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.

============================

June 21st 2010

મધર,ફાધર ડે

                    મધર,ફાધર ડે

તાઃ૨૧/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનોને જ્યાં સ્નેહ મળે,ત્યાં તો મધર ડે વખણાય
મળે જ્યાં લાયકાત જીવનમાં,ત્યાં ફાધર ડે ઉજવાય
                          ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
કઇ કેડી ક્યારે મળશે જીવનમાં,નાકોઇથી બતાવાય
ચણતર જીવનના સમજાય,જ્યાં સોપાનો છે દેખાય
મળી ગયો જ્યાં હેતપ્રેમનો,ના અડચણ કોઇ અડાય
ઉજ્વળતાની ત્યાં રાહમળે,જ્યાં માનોપ્રેમ મેળવાય
                           ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
લાગણીના દરીયામાં રહેતાં,જીવન નૈયા ડોલતી જાય
હલેસા બને સંતાન સહવાસે,ત્યાં આખો તરીજ જવાય
સથવાર પતિપત્નીનો સંગેરહે,જ્યાં સંસ્કારને સહવાય
આગલી વ્યાધી ભાગી જાય,જ્યાં ભુતકાળને સચવાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.
મળે મહેનતને ખંત લગનથી, સરળતા મળતી જાય
આંગળી ચીંધી સંતાનને,પકડતાં ફાધર ખુબ હરખાય
મળે સિધ્ધિનાસોપાન જગે,જ્યાં લાયકાત મળી જાય
સંતાનને બારણે સફળતાજોતાં,ફાધર ડે ઉજવાઇજાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.

……$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$……

June 20th 2010

बाबा के द्वार

                      बाबा के द्वार

ताः२०/६/२०१०                  प्रदीप ब्रह्मभट्ट

बाबा त्तेरे द्वार पे आज,मैं भक्ति लेके आया हु
पुंजन अर्चन प्रेम श्रध्धा,साथ मेरे मै लाया हुं
                     ………बाबा त्तेरे द्वार पे आज.
सांइसांइका रटण मनमे,नमन हाथसे करता हुं
श्रध्धा के अतुट बंधनमें,भक्ति प्रेमसे करता हुं
ज्योतभक्तिकी मनमें जगाके,श्रध्धा सबुरी देना
आशीर्वादकी गंगालेके,बाबा द्वार मेरे तुम आना
                     ……….बाबा त्तेरे द्वार पे आज.
आया शेरडी धाम में बाबा,पाने को मुक्ति द्वार
लेकर शरणमें प्रदीपको,उज्वल करो ये संसार
मन,वचनऔरवाणीसे,करदो जीवनका कल्याण
यही भावना रखके मनमें,आया बाबा के द्वार
                      ………बाबा त्तेरे द्वार पे आज.

==+++++++++++++++++++++++++==

June 19th 2010

થયેલ ભુલ

                         થયેલ ભુલ

તાઃ૧૯/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પહેલી ભુલને હું માફ કરું,બીજીને કરે ભગવાન
ત્રીજી ભુલે થાપટ પડે,જ્યાં ધાવણ આવે યાદ
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
ભુલાય જ્યાં સાંકળ સીધી,ત્યાં ભુલ શરૂ થાય
માને જ્યાં તે સાચીકેડી,ત્યાં વ્યાધી વધીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
કરતાં કામ જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સચવાય
ધીમી ગતીએ ચાલતાં,જીવન સરળ થઇજાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
આગમન અવનીપર,માબાપની કૃપાએ થાય
વર્ષે એકવાર વ્હાલ કરી,ના તેમને તરછોડાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
સંસ્કાર સાચવી પકડુ પાની,ભુલબધી સમજાય
આશીર્વાદ મળે હેતથી,ત્યાં જીંદગી સુધરીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
માનવજીવન મહેંકીરહે,જ્યાં સમયને સચવાય
મતીનેમળે રાહજીવનની,ત્યાં ભુલ કદીનાથાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.

++++++++++++++++++++++++++++

June 18th 2010

સંતોષી માતા

                  

 

 

 

 

 

 

 

 

 

                           સંતોષી માતા

તાઃ૧૮/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણું મા સંતોષીનુ મળતાં,જીંદગી બદલાઇ ગઇ
ઉજ્વળ જીવન મેળવતાં,મારા મનને શાન્તિ થઇ
                    ………શરણુ મા સંતોષીનુ મળતાં.
શુક્રવારની શીતળ સવારે,માના ચરણે સ્પર્શુ જઇ
વંદન કરતાં માગુ મનથી,મને ભક્તિ દેજો અહીં
માનવ મનથી ભુલ થાય,તો માફી માગતો જઇ
કૃપામળતાં સંતોષીમાતાની,મનેસમજ આવીગઇ
                  ………..શરણુ મા સંતોષીનુ મળતાં.
દેહ મળ્યો મને માનવીનો,મા કૃપા દેખાઇ ગઇ
સંતાન હું સાર્થક બનુ,એવીમતી દેજો મને અહીં
મોહ માયાનેદુર જ રાખે,કહેતો માના ચરણે જઇ
મળે સહવાસ ભક્તિનો,એવુ મનથીમાગતો અહીં
                  …………શરણુ મા સંતોષીનુ મળતાં.

============================

June 17th 2010

મંજીરાના તાલ

                     મંજીરાના તાલ

તાઃ૧૭/૬/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલ સાંભળતાં,મનમાં કંઇ કંઇ થાય
ઉમંગ આવે અંતરમાં અનેરો,ના કોઇથી કહેવાય
                        …………મંજીરાના તાલ સાંભળતાં.
ઉગમણી ઉષાને નિરખવા,બંધ આંખો જ્યાં ખુલી જાય
પ્રભાતના સોનેરી કિરણોની,ત્યાં મહેંક પણ મળી જાય
લહેર પવનની શીતળમળતાં,જગે આનંદઆનંદ થાય
શબ્દોનીય સમજ મળે,જ્યાંમંજીરાના તાલ મળી જાય
                           ………..મંજીરાના તાલ સાંભળતાં.
ભક્તિનો અણસાર એવો,જગતમાં કોઇથીય ના કહેવાય
મનથી કરેલ ભક્તિમાં તો,પરમાત્માનો પ્રેમ મળી જાય
ખંજરીના ખણખણાટની સાથે,મળીજાય મંજીરાના તાલ
ભક્તિના શબ્દોની જીવને,જીવનમાંવણઝાર મળી જાય
                           …………મંજીરાના તાલ સાંભળતાં.
આવી આંગણે મળે ભક્તિ,જીવને મળે જ્યાંસાચી શક્તિ
મળે માનવતા સંગે જીવનમાં,નેઆધી વ્યાધીથી મુક્તિ
સરળતાનો સહવાસ રહેતા,આમાનવ જન્મેજીવ હરખાય
અંત નિરાળો લાગેજીવને,ને અંતે જીવને મુક્તિમળીજાય
                            ………..મંજીરાના તાલ સાંભળતાં.

================================

June 16th 2010

મેળવેલી લાયકાત

                         મેળવેલી લાયકાત

તાઃ૧૬/૬/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને જ્યારે સમયનુ ભાન થાય ત્યારે એ તેને પકડવા પ્રયત્ન કરે.
સમય તો કોઇથી પકડાતો નથી જ,હા તેની સાથે ચાલી શકાય પણ તે માટે મન,લગન, 
મહેનત  અને વિશ્વાસનો સહારો લેવો જ પડે.
માબાપનો પ્રેમ અંતરથી લેવા માટે તેમની સેવા મન,કર્મ અને વચનથી થાય તો મળવાની
શક્યતા છે.
સંતાન થવુ એ લાયકાત નથી પણ તે વર્તનથી સાર્થક થઇ શકે છે.
ભાઇબહેનનો પ્રેમ એ દેખાવથી નથી મળતો એ તો એક બીજાની આંખોથી જણાઇ આવે છે.
મનથી મહેનત કરતાં ભણતરની લાયકાત મેળવાય છે.
તનથી મહેનત કરતાં ઉજ્વળ સોપાન મેળવવાની લાયકાત મળે છે.
પતિપત્નીના પ્રેમમાં અન્યો અન્યના નિશ્વાર્થ પ્રેમની સાંકળ એ પાયો છે.
કોઇપણ કાર્યની સફળતામાં મળેલા સહકારની સરળતા ઉત્તમ ટેકો છે.
લખવું એ તો નાના બાળકનુ કામ છે પણ તમારા લખાણને કોઇ વાંચે તેમાં તો પ્રેમાળ લહીયાઓનો
સાથ છે જે પર મા સરસ્વતીનો હાથ છે.
              અને અંતે ……..
………..સાચી લાયકાત ન મેળવાય તો તે લ્હાય છે જેનાથી જીવનમાં કાતર મુકાય છે.

                       =====================================

June 16th 2010

માનવીની દોસ્તી

                  માનવીની દોસ્તી

તાઃ૧૬/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કનુ,મનુની ચર્ચા ગામ આખામાં,ચૉરે ચબુતરે થાય
પ્રેમપ્રસંગ કે આધીવ્યાધી,તોય હાથ પકડી હરખાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
આવે છોને ઘેરા વાદળ,કે પછી વાદળધોળા દેખાય
પ્રેમસાંકળ તેમણે જકડી,ગામમાં ના કોઇથી છોડાય
પડખે આવી ઉભા રહે ત્યાં,જ્યાં આવે અડચણ દ્વાર
સુળીનો ઘા સોયે સરવા,અડધી રાતે એ દોડી જાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
મંજીરાના તાલસાંભળે,કે પછી તાલીઓના ગડગડાટ
ના ફેર તેમને પડે સાંભળી,એતો દુરના ડુંગર દેખાય
પ્રાણી,પશુ કે માનવીનીઆંખે,જ્યાં અશ્રુ વહેતા થાય
આવે દોડી વિશ્વાસ,શ્રધ્ધાએ,જે દુઃખને હળવુ કરીજાય
                             ……….. કનુ,મનુની ચર્ચા ગામ.
જન્મ તો જીવ મેળવે જગત પર,એ કર્મ જ કહી જાય
ભક્તિપ્રેમની સંગે જીવતાં,જીવપર પ્રભુ કૃપાથઇ જાય
ગામમાં ગુંજન કનુમનુનું,જે માનવીની દોસ્તી મનાય
સફળજન્મ ને સાર્થકજીવન,ના દેખાવથી કદીએ થાય
                                 ………..કનુ,મનુની ચર્ચા ગામ.

+++++++++++++++++++++++++++++++

June 15th 2010

શીતળ લહેર

                         શીતળ લહેર

તાઃ૧૫/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની એક લહેર મીઠી,શીતળતા દઇ જાય
આવે મનને શાંન્તિ ત્યાં તો,ધન્ય દીવસ થઇ જાય
                  ………..મંદ પવનની એક લહેર મીઠી.
સહવાસ સુર્ય કિરણનો,પ્રભાતને પાવન કરી જાય
આવે લહેર જ્યાં પવનની,જે શીતળતા દઇ જાય
માનવદેહે મહેંકમળતાં,નિર્મળ સ્નેહપણ મળી જાય
લાગે જીવને શાંન્તિ ત્યારે,ત્યાં પ્રભુ કૃપા થઇ જાય
                   ………..મંદ પવનની એક લહેર મીઠી.
આજનો આનંદ આજે માંણતાં,સમયને ય સચવાય
આવતીકાલ ઉજ્વળબને,જ્યાંમનથી પ્રભુને ભજાય
જીવની વ્યાધી દુર જ ભાગે,ને જન્મ સફળ દેખાય
શીતળ લહેર પ્રેમનીમળે ત્યાં,સૌ વ્યાધી ભાગીજાય
                   ………..મંદ પવનની એક લહેર મીઠી.

==============================

« Previous PageNext Page »