September 25th 2010

શું કરું?

                            શું કરુ?

તાઃ૨૫/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગઇ માયાની સોટી,ટેકો સમજી ઝાલી લીધી
ડગલુ ભરતાં એક ના સમજાઇ,બીજે ટપલી ખાધી
                        ……… મળી ગઇ માયાની સોટી.
કુદરતની આ કળા છે એવી,કળીયુગમાં મળી જાય
મનનીવાત મનમાંરહેતાં,ના કોઇથીએ કળી શકાય
સમજણ સીધી દુરજ રહેતાં,અધમ પધમ થઇજાય
વાતચીતની મુડી ખોતાં,મન મારું ઘરમાં અકળાય
                     …………મળી ગઇ માયાની સોટી.
જીવની જ્યોતને માણવા,ના કડી કોઇથી મેળવાય
અકળામણ જ્યાં આવે આંગણે,જીવન બગડી જાય
શું કરું શું કરુંની વિટંમણામાં,ભવ પણ ભડકી જાય
શાંન્ત મને વિચારકરતાં,અંતે ભક્તિપ્રેમ મેળવાય
                     ……… મળી ગઇ માયાની સોટી.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment