November 15th 2010

ભક્તિની શક્તિ

                       ભક્તિની શક્તિ

તાઃ૧૫/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પરમાત્માની કરતાં,મન ભક્તોના હરખાય
સદમાર્ગની દોર મળે,એ ભક્તિની શક્તિ કહેવાય
                   ………..ભક્તિ પરમાત્માની કરતાં.
માયા તો સંગે દેહનેચાલે,ના કોઇથી એને છોડાય
જીવ અવનીએ આવતા,પ્રાણીપશુ માનવ દેખાય
કર્મનાબંધન સંગે આવે,જે મળેલ દેહને જકડીજાય
ભક્તિની શક્તિ ન્યારી,જે કર્મના બંધન તોડીજાય
                  …………ભક્તિ પરમાત્માની કરતાં.
સમજણ મનની સાચી છે,જ્યાં ભક્તિ દોર પકડાય
મળીજાય આશીર્વાદ સંતના,જે મુક્તિએ લઈ જાય
રામનામની માળા કરતાં,જેમ શ્રીજલારામ હરખાય
વિરબાઇમાતાની ભક્તિએતો,પરમાત્મા ભાગી જાય
                    ………..ભક્તિ પરમાત્માની કરતાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment