October 13th 2011

જલારામની ભક્તિ

.

.

.

.

.

.

.

.

.                        . જલારામની ભક્તિ

તાઃ૧૩/૧૦/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં,રામનામનો કરતાં દીપ
માનવદેહને મળી છે જીત,એજ સાચીછે ભક્તિની રીત
.                    ………….ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.
ના હતા કોઇ માટી ના મોહ,જગમાં જેની સૌને છે ઓટ
ભક્તિની એક જ્યોત નિરાળી,છુટી જાય માયા વૈરાગી
જલારામની ભક્તિસાચી,લાવે પરમાત્માને એજ તાણી
વંદન વિરબાઇ માતાને,સંસ્કારથી જેણે ભવને સુધાર્યા
.                   …………..ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.
ભીખ માગતા જગત નિયંતા,છોડે ડંડો ઝોળી એ ડરતા
ભક્તિદ્વારને ખોલીને વિરપુરમાં,ઉજ્વળ જીવન જીવતા
સંસારની કેડી રાખી સંગે,કર્યો  જન્મ સાર્થક ભક્તિ રંગે
મુક્તિ માર્ગને મેળવી જન્મે,ઉજ્વળ કર્યો છે પત્ની સંગે
.                   …………..ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment