October 27th 2011

આગમન દીવાળીનુ

.                 આગમન દીવાળીનું

તાઃ૨૭/૧૦/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાથીયા કર્યા મેં બારણે ઘરના,ને કંકુના ચાંલ્લા પાંચ
જ્યોત પ્રગટાવી પ્રેમનીઘરમાં,જોઇ જલાસાંઇનીઆંખ
.                 …………..સાથીયા કર્યા મેં બારણે ઘરના.
દીવાળીના દર્શન કરતાં,મા લક્ષ્મી પંચામૃતથી પુંજાય
કંકુચોખા કપાળે જોતા,માતા સરસ્વતી પણ રાજી થાય
આવી મારા આંગણે ઉભા રહે.પ્રભુ રામના દુત હનુમાન
કાળીચૌદશ સાર્થક બને,જ્યાં હનુમાનચાલીસાસંભળાય.
.                 …………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.
જીવજંતુથી મુક્તિ મળે દેહને,જ્યાં દારૂખાનુ  ફુટી જાય
શુધ્ધ સાત્વીક શ્વાસ મળતાં,દેહના સૌ દુઃખ ભાગી જાય
મળેપ્રેમ જીવનમાં સૌનો,ત્યાં મળેલ જન્મસફળ દેખાય
નિર્મળ ભાવના મનથી રાખતાં,સાચી ભક્તિ થઈ જાય
.                    ………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.

************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment