નવલુ નુતન વર્ષ
. નવલુ નુતન વર્ષ
તાઃ૨૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય ના પકડે કોઇ જગતમાં,અને ના કોઇથીએ છોડાય
ગઈ કાલ ભુતકાળ બને,ને આવતીકાલ ભવિષ્ય કહેવાય
. ……………સમય ના પકડે કોઇ જગતમાં.
ભુલ થયેલી જીવનમાં કોઇ,સમજીને એ સુધારી લેવાય
માનવીમનને મળેલકેડી,જેથી ભવિષ્યકાળને બદલાય
મનથીમહેનત ને પ્રભુભક્તિએ,જીવથીસાચીકેડીલેવાય
મળીજાય માનવતા સમજતાં,નુતન વર્ષ ઉજ્વળ થાય
. …………….સમય ના પકડે કોઇ જગતમાં.
લાગણી મનમાં થોડી રાખતાં,મળે સરળતાનો સહવાસ
ઉભરાની સાચવણી કરતાં,સૌનો સરળ પ્રેમ મળી જાય
ભુતકાલની ભુલ સુધરતાં,નુતન વર્ષ પણ સુધરી જાય
મળે પ્રેમ જગતમાં સૌનો,ના અપેક્ષા જીવની રહી જાય
. …………….સમય ના પકડે કોઇ જગતમાં.
+++++++++++++++++++++++++++++++++++